Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023: ગુજરાત કે મુંબઈ, કોણ રમશે IPL 2023ની ફાઈનલ? દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી

IPL 2023: IPL 2023 ની ક્વોલિફાયર-2 મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ શુક્રવારે આજે ટકરાશે. આ મેચ પહેલા એક દિગ્ગજ ક્રિકેટરે મોટી ભવિષ્યવાણી કરી છે કે કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે.

IPL 2023: ગુજરાત કે મુંબઈ, કોણ રમશે IPL 2023ની ફાઈનલ? દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી

GT vs MI, Qualifier 2: હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં છેલ્લી બે મેચ બાકી છે. આ પછી, આ સિઝનની વિજેતા ટીમ બધાની સામે હશે, ક્વોલિફાયર-2 મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે, વિજેતા ટીમ 28મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાયનલ મેચ રમશે. આ દરમિયાન એક પૂર્વ ક્રિકેટરે ક્વોલિફાયર-2ની વિજેતા ટીમને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

fallbacks

આ ટીમ ક્વોલિફાયર-2 જીતશે

મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે યોજાનારી ક્વોલિફાયર-2 પહેલા ભારતીય ટીમના પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે મોટી ભવિષ્યવાણી કરી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા ગાવસ્કરે કહ્યું કે મેચ અમદાવાદમાં હોવાથી ગુજરાતની જીતવાની વધુ તકો છે. જોકે તેમણે કહ્યું હતું કે હું ગુજરાત ટાઇટન્સને 51 ટકા અને મુંબઈને 49 ટકા આપીશ.

fallbacks

આ પણ વાંચો:
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
રૂપ નહી 'રૂપિયા' મારો પરમેશ્વર, રૂપની 'રાણીઓ' એ રૂપિયાના 'રાજા'ઓ સાથે કર્યા લગ્ન
હવે એજન્ટ વગર બે મિનિટમાં બુક કરો ટ્રેનની ટિકિટ, જાણો પ્રોસેસ

 

આ નિવેદન હાર્દિકની બેટિંગને લઈને આપવામાં આવ્યું છે

સુનીલ ગાવસ્કરે પણ હાર્દિક પંડ્યાની બેટિંગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ત્રીજા નંબર પર બેટિંગ કરીને તેને કોઈ ફાયદો થશે. તેમણે ફિનિશર તરીકે શરૂઆત કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તેમણે વિજય શંકરને ત્રીજા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ આવું જ કરવાનું હતું. જો તેણે આમ કર્યું હોત તો તેને ચોક્કસ ફાયદો થયો હોત. એટલા માટે પહેલા વિજય શંકર અને બાદમાં હાર્દિક પંડ્યાએ આવવું જોઈએ.

પ્લેઓફમાં મુંબઈનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમીને રેકોર્ડ 5 વખત ચેમ્પિયન બની છે. ભલે લીગ તબક્કાની મેચોમાં ટીમનું ખરાબ પ્રદર્શન ઘણી વખત જોવા મળે છે, પરંતુ જેવી ટીમ પ્લેઓફમાં એન્ટ્રી લે છે, તે ખૂબ જ ઘાતક ફોર્મમાં આવી જાય છે. રોહિતની કેપ્ટન્સીમાં ટીમે અત્યાર સુધી 14 આઈપીએલ પ્લેઓફ રમી છે, જેમાં 11 જીતી છે. જો આઈપીએલ ફાઈનલની વાત કરીએ તો મુંબઈ 6 વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે અને ટીમે 5 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમ પણ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

આ પણ વાંચો:
શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ?
Aston Martin DB12 લોન્ચ, કિંમત રૂ 4.8 કરોડ; 325kmphની ટોપ સ્પીડ

ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ, નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

fallbacks
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More