Home> Sports
Advertisement
Prev
Next

પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણીથી ક્રિકેટ જગતમાં ખળભળાટ; જાણો સેમિફાઇનલની ગેમ કોણ જીતશે?

Ravi Shastri's big staemet: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે  ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચ દુબઈમાં રમાશે. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ મહામુકાબલો ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણીથી ક્રિકેટ જગતમાં ખળભળાટ; જાણો સેમિફાઇનલની ગેમ કોણ જીતશે?

Ravi Shastri's big staemet about cricket: પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીના મતે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં કોઈ ફેરફાર કર્યા વિના ઉતરવું જોઈએ. રવિ શાસ્ત્રીએ આનું કારણ જણાવ્યું કે ટીમ ઈન્ડિયાએ દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં મળેલી 44 રનની જીત દરમિયાન સ્થિતિનો સારો ફાયદો ઉઠાવ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શાનદાર મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.

fallbacks

રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન
રવિ શાસ્ત્રીએ ICCના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે, મને લાગે છે કે ટીમમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. સ્પિનરોની ભૂમિકા ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થનારી છે. રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં ભારતે દુબઈની ધીમી પીચને જોતા ચાર સ્પિનરો રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તીને રમાડ્યા હતા. આ ચારેય સ્પિનરોએ મળીને 9 વિકેટ ઝડપી હતી, જેમાં ચક્રવર્તી સૌથી સફળ બોલર રહ્યો હતો. વરૂણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ ઝડપી, જે આ ટૂર્નોમેન્ટમાં અત્યાર સુધીની સૌથી સર્વશ્રેષ્ઠ બોલિગ પ્રદર્શન છે.

વરુણ ચક્રવર્તીને બોલનો કોઈ સામનો કરી શક્યો નહોતું
રવિ શાસ્ત્રીએ યોગ્ય સમયે વરુણ ચક્રવર્તીને તક આપવા બદલ ટીમ મેનેજમેન્ટની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'જો તમે તેના વર્તમાન ફોર્મને જુઓ તો તે શાનદાર છે. હું હંમેશા માનું છું કે વર્તમાન ફોર્મ સૌથી મહત્વપૂર્ણ છે. તેનો આત્મવિશ્વાસ અને બોડી લેંગ્વેજ શાનદાર છે. આ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો છે, પરંતુ તેમાંથી કોઈએ વરુણ ચક્રવર્તીના બોલનો સામનો કરી શક્યું નથી અને ના તો તેણે બહુ અભ્યાસ કર્યો છે.

રવિ શાસ્ત્રીની મોટી ભવિષ્યવાણી
રવિ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 'વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન મને ખૂબ પ્રભાવિત કરી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટે યોગ્ય સમયે તેના પર વિશ્વાસ દર્શાવ્યો હતો. તે એક એવો બોલર છે જે મધ્ય ઓવરોમાં વિકેટ લે છે અને હવે જ્યારે તેને તક મળી ત્યારે તેણે પાંચ વિકેટ ઝડપી. મને લાગે છે કે તેણે હવે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે દુબઈની પિચ પર પ્રથમ બેટિંગ કરતી વખતે 240-250 રન બનાવવો એ સેમીફાઈનલમાં જીતની ચાવી હોઈ શકે છે. તેમણે કહ્યું, 'જો તમે પહેલા બેટિંગ કરો છો અને 240-250થી વધુ રન બનાવશો તો આટલી મોટી મેચમાં તે ખૂબ જ પડકારજનક લક્ષ્ય હશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More