Ind vs NZ : રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aમાં ખતરનાક ટીમ ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની તમામ 3 મેચ જીતીને ટોપ પર છે. હવે ટીમ ઈન્ડિયા 4 માર્ચે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન વિવાદમાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું કર્યું કે ન્યૂઝીલેન્ડનો ક્રિકેટ કોમેન્ટેટર સાયમન ડૂલે તેના પર નારાજ થયો છે.
મેદાન પર બધાની સામે અક્ષર પટેલને પગે પડ્યો વિરાટ કોહલી? Video જોઈને દંગ રહેશો
સાયમન ડૂલ જાડેજા પર નારાજ
રવિન્દ્ર જાડેજાએ 33મી ઓવરના બીજા બોલ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લાથમ (14)ને આઉટ કરીને નિર્ણાયક સમયે ટીમ ઈન્ડિયાને મોટી વિકેટ અપાવી હતી. ટોમ લાથમે રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ તેની પગ પર અથડાયો. ટોમ લાથમે રિવ્યુ લેવાનું પણ વિચાર્યું ન હતું અને જ્યારે અમ્પાયરે આંગળી ઉંચી કરી ત્યારે તે મેદાનની બહાર નીકળી ગયો હતો. જો કે, આ સમય દરમિયાન ન્યુઝીલેન્ડના કોમેન્ટેટર સાયમન ડૂલને રવિન્દ્ર જાડેજાની એક હરકત પસંદ આવી નહોતી.
IND vs NZ: વિરાટ કોહલી આઉટ થતાં પત્ની અનુષ્કા શર્માનું ચોંકાવનારું રિએક્શન, Video
મેચ દરમિયાન જાડેજાની હરકત પર સવાલો
બોલ ફેંક્યા બાદ તરત જ રવિન્દ્ર જાડેજા પીચની વચ્ચે દોડવા લાગ્યો અને એલબીડબ્લ્યુની અપીલ કરી અને વિકેટનો જશ્ન મનાયો. સાયમન ડૂલે રવિન્દ્ર જાડેજાને પીચની વચ્ચે દોડવા સામે વાંધો ઉઠાવ્યો છે. સામાન્ય રીતે ખેલાડીઓને આવી હરકત માટે ચેતવણી આપવામાં આવે છે જેથી પિચને નુકસાન ન થાય, પરંતુ આ કિસ્સામાં અમ્પાયરોએ દરમિયાનગીરી ન કરી. સાયમન ડૂલે નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં પગલાં ન લેવા પર સવાલ ઉઠાવતા પોતાની પ્રતિક્રિયા આપી છે.
300મા વનડે મેચમાં કોહલીએ બનાવ્યો મહાન રેકોર્ડ, દુનિયાનો કોઈ સુરમા હજુ કરી શક્યો નથી
ચેતવણી આપવી જોઈતી હતી - સાયમન ડૂલે
સાયમન ડૂલે કહ્યું, 'તમે આવું ના કરી શકો. ચેતવણી આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે જો ખેલાડીઓ પીચના જોખમી વિસ્તાર પર પગ મૂકે છે તો તેમને ચેતવણી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રેયસ અય્યર 79 રનની ઇનિંગની મદદથી 9 વિકેટે 249 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટોચના ત્રણ બેટ્સમેનોના વહેલા આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ભારતની ઇનિંગ સંભાળી હતી. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ચોથી વિકેટ માટે 136 બોલમાં 98 રનની ભાગીદારી કરી અને ભારતને લડાયક સ્કોર સુધી પહોંચાડ્યું. અક્ષર પટેલે 60 બોલમાં 42 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસે ચોથી અડધી સદી ફટકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે