Home> Sports
Advertisement
Prev
Next

IND vs SA: મોહાલી T20 માટે ટીમ ઇન્ડીયાએ બનાવી ખાસ રણનીતિ, કોચે કર્યો ઇશારો

વિક્રમ રાઠોડના નિવેદનમાં ભલે ટીમમાં નવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી હોય, પરંતુ ટીમ પ્રદર્શનના મામલે પણ ગંભીર જોવા મળી રહી છે. એવામાં બધા ખેલાડીઓને નિરંતરતા બતાવવી પડશે.

IND vs SA: મોહાલી T20 માટે ટીમ ઇન્ડીયાએ બનાવી ખાસ રણનીતિ, કોચે કર્યો ઇશારો

મોહાલી: ટી20 ઇતિહાસમાં ભારત અને દક્ષિણ આફ્રીકા (India v South Africa) વચ્ચે ભારતમાં ફક્ત બે જ ટી20 મેચ રમાઇ શકે છે. જ્યારે બંને ટીમો વચ્ચે ભારતમાં વરસાદના લીધે રદ થનાર આ બીજી ટી20 મેચ હતી. સીરીઝ પહેલાં ટીમ ઇન્ડીયાએ ધર્મશાળા માટે જોરદાર તૈયારી કરી હતી, પરંતુ વરસાદે વિરાટ અને તેમની ટીમની યોજનાઓ પર પાણી ફેરવી દીધું. હવે ટીમે મોહાલી મેદાન અનુસાર નવી રણનીતિ બનાવી છે જેની ઝલક બેટિંગ કોચ વિક્રમ રાઠોડના નિવેદનમાં જોવા મળે છે. 

fallbacks

વિક્રમ રાઠોડે એવું શું કહ્યું 
રાઠોડ તાજેતરમાં જ ઇન્ડીયના બેટીંગ કોચ બન્યા છે. તેમણે ટીમમાં સંજય બાંગડનું સ્થાન લીધું છે. વિક્રમ રાઠોડે પદ સંભાળ્યા બાદ પોતાની પહેલી પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું કે હવે ટીમ ઇન્ડીયા ટી20 મેચોને વધુ ગંભીરતાથી લે છે. તેના લીધે વિક્રમ રાઠોડે આગામી વર્ષે યોજાનારી ટી20 વર્લ્ડકપને ગણાવ્યો. વિક્રમ રાઠોડના નિવેદનમાં ભલે ટીમમાં નવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી હોય, પરંતુ ટીમ પ્રદર્શનના મામલે પણ ગંભીર જોવા મળી રહી છે. એવામાં બધા ખેલાડીઓને નિરંતરતા બતાવવી પડશે.

IND vs SA T20I: શિખર ધવનને માત્ર 44 રનની જરૂર, આ ખાસ લિસ્ટમાં થઈ જશે સામેલ

નહી બદલાય ઓપનિંગ જોડી
વિક્રમ રાઠોડે રોહિત શર્માના વિશે કહ્યું કે તે એટલા શાનદાર ખેલાડી છે કે તેમને ટેસ્ટ માટે નજરઅંદાજ ન કરી શકાય. વિક્રમ રાઠોડના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમ અનુભવને નજરઅંદાજ કરવામાં મૂડમાં નથી. એવામાં ઓપનર જોડી રોહિત અને શિખર ધવનની રહેશે એમ માનવામાં આવી રહ્યું છે. જે નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે તેમાં કેએલ રાહુલ ઉપરાંત કોઇ બીજા ઓપનર બેટ્સમેન નથી. હા જો જરૂર પડી તો કેએલ રાહુલ ઓપનર જોડીમાં જગ્યા લઇ શકે છે. 

ભારતીય ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ટીમ ઇન્ડિયા માટે રમી હતી તોફાની 159 રનની ઇનિંગ

શું પિચના અનુસાર હોઇ શકે છે ફેરફાર
ધર્મશાલાની પિચ જેનો સમાવેશ ફાસ્ટ પિચોમાં થાય છે, ખાસકરીને મેચ પહેલાં વરસાદ થયો તો. એવામાં ટીમ ઇન્ડીયાની તૈયારી તે અનુસાર હતી. પરંતુ મોહાલીની પિચ એવી નથી. તે બેટિંગ માટે ખૂબ અનુકૂળ પિચ છે ભલે પિચમાં બોલરો માટે કંઇ ખાસ હોય. હવામાન પહેલાંથી જ સ્પષ્ટ રહેતા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં ધર્મશાલા માટે ટીમ જાહેર થવાની હતી તેમાં ફાસ્ટ પિચથી પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવાની સંભાવના હતી, પરંતુ મોહાલીમાં એવું નહી થાય.
fallbacks

કયા ખેલાડીઓ પર રહેશે દબાણ
આમ તો વિક્રમ રાઠોડે ઇશારા કહ્યું કે ટીમ કોઇ ખેલાડી પર દબાણ નહી કરે અને તેમને બધા ખેલાડીઓ પર વિશ્વાસ છે, પરંતુ ઋષભ પંત પર દબાણ હોઇ શકે છે. આ દબાણ ભલે ટીમ અથવા મેનેજમેન્ટ અથવા પછી કેપ્ટન દ્વારા ન હોય પરંતુ જે પ્રકારે તેમના વિશે વાતો થઇ રહી છે, પંત ઇચ્છશે તો તે આ ઇનિંગ વડે ફેન્સ અને ટીકાકારોને કેટલીક હદ સુધી સંતુષ્ટ કરી શકશે. જોકે કોચ (વિક્રમ રાઠોડ અને રવિ શાસ્ત્રી) ઇચ્છશે પંત પોતાની નેચરલ ગેમ ન છોડે. 

Ind vs Sa: મોહાલીમાં આજે બીજો ટી-20 મુકાબલો, રિષભ પંત પર રહેશે નજર

ટીમ ઇન્ડીયા ટી20: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિંદ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચાહર, ખલીલ અહમદ, દીપક ચાહર અને નવદીપ સૈની.

દક્ષિણ આફ્રીકાની ટી-20 ટીમ: ક્વિંટન ડિકોડ (કેપ્ટન), વાન ડેર દુસેન, તેંબા બાવુમા, ડેવિડ મિલર, જૂનિયર ડાલા, બોર્ન ફોર્ટિન, બ્યુરેન હેંડ્રિક્સ, રીઝા હેંડ્રિક્સ, એનરિચ નોર્તજે, એંડિલે ફેહલુક્વાયો, ડ્વેન પ્રિટોરિયસ, કૈગિસો રબાડા, તબરેજ શમ્સી અને જોર્જ લિંડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More