Home> Sports
Advertisement
Prev
Next

IND vs SL: પહેલીવાર રોહિત-દ્રવિડ પર ઉઠ્યા સવાલ, આખરે કેમ બરબાદ કરવામાં આવી રહ્યું છે આ ખેલાડીનું કેરિયર?

રોહિત શર્માની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમ મેદાનમાં છે. ટીમ ઇન્ડીયા શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ટકરાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇનિંગ અને 222 રનથી જીત પ્રાપ્ત કરી. બીજી ટેસ્ટમાં રોહિત અને કોચ રાહુલ દ્રવિડ પાસે આશા હતી કે તે કેટલાક ખેલાડીઓને ટીમમાં ફેરફાર કરશે.

IND vs SL: પહેલીવાર રોહિત-દ્રવિડ પર ઉઠ્યા સવાલ, આખરે કેમ બરબાદ કરવામાં આવી રહ્યું છે આ ખેલાડીનું કેરિયર?

નવી દિલ્હી: રોહિત શર્માની કેપ્ટનશિપમાં પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમ મેદાનમાં છે. ટીમ ઇન્ડીયા શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ટકરાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇનિંગ અને 222 રનથી જીત પ્રાપ્ત કરી. બીજી ટેસ્ટમાં રોહિત અને કોચ રાહુલ દ્રવિડ પાસે આશા હતી કે તે કેટલાક ખેલાડીઓને ટીમમાં ફેરફાર કરશે. પરંતુ એક ખેલાડી એવો છે કે જેને રોહિત અને દ્રવિડ સતત ઇગ્નોર કરી રહ્યા છે. હવે પહેલીવાર રોહિત અને દ્રવિડ પર એક્સાથે સવાલ ઉભા થઇ રહ્યા છે. 

fallbacks

આ ખેલાડીની કરવામાં આવી રહી છે અવગણના
જ્યારે બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે કેપ્ટન રોહિતે ફરી એક ખેલાડીને બહાર કરી દીધો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. એવું લાગી રહ્યું છે કે કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ સિરાજ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. સિરાજને અત્યારે ટીમના સૌથી ઘાતક બોલરોમાંથી એક ગણવામાં આવે છે પરંતુ હવે તે સતત બીજી ટેસ્ટમાં બહાર બેઠો છે.

RCB એ આખરે કરી દીધી પોતાના કેપ્ટનની જાહેરાત, હવે વિરાટને માનવો પડશે આ ખેલાડીનો ઓર્ડર

હવે ઉઠી રહ્યા છે સવાલ
હવે સિરાઝને બહાર કરતાં પહેલીવાર કેપ્ટન રોહિત અને રાહુલ દ્રવિડ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ખેલાડીને બહાર કરવા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. લોકો સતત પૂછી રહ્યા છે કે સિરાઝે એવી કઇ ભૂલ કરી દીધી છે. બીજી ટેસ્ટ પહેલાં ટીમાં ઘણા ફેરફાર થયા પરંતુ તેમછતાં પણ સિરાઝને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. હવે લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમ કોઇ મુકાબલો પણ રમશે નહી. 

આ ખેલાડીની થઇ વાપસી
અક્ષર પટેલને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી છે. અક્ષર ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેમણે ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. અક્ષર પટેલની સાથે-સાથે બેટ વડે પણ કમાલ બતાવવા માટે પણ જાણિતા છે. અત્યાર સુધી નાનકડું ટેસ્ટ કેરિયર કમાલનું રહ્યું છે. અક્ષરે ફક્ત 5 ટેસ્ટ મેચમાં 36 વિકેટ પ્રાપ્ત કરી છે, જેમાં તે 5 અવસર પર 5 વિકેટ એક ઇનિંગમાં પ્રાપ્ત કરી છે. તેમની પાસે તે કાબિલિયત છે કે તે કોઇપણ પીચ પર વિકેટ પ્રાપ્ત કરી શકે છે. તેમની બોલને સમજવો મુશ્કેલ છે. અક્ષર પટેલ ટીમ ઇન્ડીયાને મેચ જીતાડી શકે છે. 

બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયર અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમંદ શમી, જસપ્રીત બુમરાહ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More