Home> Sports
Advertisement
Prev
Next

BCCIનો ઝટકો: 4 ખેલાડીઓની કાયમ માટે કરી દીધી હકાલપટ્ટી, વિરાટ કોહલી અને રોહિત શર્માનું પણ આ ટુર્નામેન્ટમાંથી પત્તું કપાયું

India vs Sri Lanka 2023: . બે દિવસ પહેલા જ્યારે શ્રીલંકા સામેની 3 ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં પણ આ જ સંદેશ છુપાયેલો હતો. પસંદગીકારો અને BCCIએ આ ટીમમાં 6 દિગ્ગજ ખેલાડીઓને સ્થાન ન આપીને કહ્યું કે હવે BCCI અને પસંદગીકારો તેમની રાહ જોઈ રહ્યું નથી. તેમની નજર હવે 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પર છે.

BCCIનો ઝટકો: 4 ખેલાડીઓની કાયમ માટે કરી દીધી હકાલપટ્ટી, વિરાટ કોહલી અને રોહિત શર્માનું પણ આ ટુર્નામેન્ટમાંથી પત્તું કપાયું

Rohit Sharma: ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી બહાર થઈ ત્યારથી જ T20 ટીમમાં ફેરફારની વાતો કરવામાં આવી રહી હતી. બધે બુમરાણ હતી કે હવે બહુ થયું અને હવે સિનિયર ખેલાડીઓને સાઇડલાઇન કરવાનો સમય આવી ગયો છે. બે દિવસ પહેલા જ્યારે શ્રીલંકા સામેની 3 ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં પણ આ જ સંદેશ છુપાયેલો હતો. પસંદગીકારો અને BCCIએ આ ટીમમાં 6 દિગ્ગજ ખેલાડીઓને સ્થાન ન આપીને કહ્યું કે હવે BCCI અને પસંદગીકારો તેમની રાહ જોઈ રહ્યું નથી. તેમની નજર હવે 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પર છે.

fallbacks

ઈનસાઈડસ્પોર્ટના અહેવાલ મુજબ, BCCI અને પસંદગીકારોએ 6 વરિષ્ઠ ખેલાડીઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારતીય T20માં હવે તેમની કોઈ જગ્યા નથી. આ ક્રિકેટરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિકના નામ સામેલ છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

BCCI સાથે સંકળાયેલા સૂત્રોએ InsideSportને કહ્યું, 'હવે અમે 2024 T20 વર્લ્ડ કપ માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમારા ઘણા એવા ખેલાડીઓ છે જેઓ 35-36 વર્ષના છે અને તેથી તેઓ અમારા લાંબા ગાળાના આયોજનમાં ફિટ થતા નથી. જો અમે અત્યારે અમારી ટીમ બનાવવાની શરૂઆત નહીં કરીએ તો ક્યારે બનાવીશું. આવી સ્થિતિમાં અમે આકરા નિર્ણયો લીધા છે અને સિનિયર ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે હવે તેઓ T20 ક્રિકેટના સંદર્ભમાં અમારા આયોજનમાં ફિટ નથી.

જોકે BCCIએ 6 ખેલાડીઓને સંદેશો આપી દીધો છે કે T20 ટીમમાં તેમની હવે જરૂર નથી. તેમાંથી 4 માટે ભારતીય T20 ટીમના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. જેમાં આર અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર કુમારના નામ સામેલ છે. તે હવે ભારતીય T20 ટીમમાં પરત નહીં ફરે. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી સંપૂર્ણ રીતે બહાર નથી. તે આયોજનનો ભાગ હશે પરંતુ હવે તેને ટી20 ટીમમાં ઓછી તક મળશે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More