MS Dhoni : IPL 2025ની 57મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ KKR માટે કરો યા મરો જેવી મેચ બનવાની છે. જ્યારે CSK IPL 2025માંથી બહાર થનારી પહેલી ટીમ બની. પરંતુ હવે CSK ચાહકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. આ ઇડન ગાર્ડન્સ ખાતે CSKના કેપ્ટન એમએસ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. ધોની આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.
શું ધોની IPLમાંથી નિવૃત્તિ લઈ શકે છે ?
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીના આઈપીએલ કારકિર્દી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. 43 વર્ષીય ધોની આ સિઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમી રહ્યો છે. ધોની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ માટે આવતો નથી. પરંતુ જો તે પ્રેસ કોન્ફરન્સમાં આવે છે તો તે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે KKR અને CSK મેચ પહેલા બંને ટીમો મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
IPL મેચ દરમિયાન IPS અને IT અધિકારીના પરિવારો બાખડ્યા, છેડતીનો લાગ્યો આરોપ
લોકો માની રહ્યા છે કે આ એમએસ ધોનીની ઇડન ગાર્ડન્સ ખાતેની છેલ્લી મેચ હોઈ શકે છે. તે પછી તે IPLમાંથી નિવૃત્ત પણ થઈ શકે છે. ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જ્યારે 2020માં તેણે T20 અને ODI ક્રિકેટને અલવિદા કહ્યું. પરંતુ તે હજુ IPLમાં જોવા મળે છે. પરંતુ હવે તે IPLને પણ અલવિદા કહી શકે છે.
ગિલની ટીમ માટે 'ગૂડ ન્યુઝ', આ ઘાતક બોલર પરથી હટ્યો પ્રતિબંધ, IPLમાં મચાવશે તબાહી
ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી IPL 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. CSK IPLમાંથી બહાર થનારી પહેલી ટીમ પણ છે. ટીમે 11માંથી માત્ર 2 મેચ જીતી છે. જોકે, 9 મેચમાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે