PBKS vs GT : ગુજરાત ટાઇટન્સ સામેની અંતિમ ઓવરમાં શશાંક સિંહની આક્રમક બેટિંગને કારણે શ્રેયસ ઐય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં તેની પ્રથમ સદી ચૂકી ગયો હતો. પંજાબની ઈનિંગની 20મી ઓવર શરૂ થઈ ત્યારે શ્રેયસ ઐયર 97 રન બનાવીને નોન-સ્ટ્રાઈકર છેડે ઊભો હતો.
મોહમ્મદ સિરાજની આ ઓવરમાં શશાંકે પાંચ ચોગ્ગા ફટકાર્યા જેના કારણે અય્યરને બેટિંગ કરવાની તક મળી ન હતી. 44 રનની અણનમ ઇનિંગ રમનાર શશાંકે કહ્યું કે અય્યરે તેને સ્ટ્રાઇક રોટેટ કરવાનું કહ્યું નહોતું. આ બેટ્સમેને પાછળથી ખુલાસો કર્યો કે પંજાબ કિંગ્સના કેપ્ટને તેની સદીને ધ્યાનમાં લીધા વિના મોટા શોટ રમવાની સૂચના આપી હતી.
'DSP'નો બોલ, સ્ટોઈનિસનો શોટ....ઘાયલ થઈ મહિલા પોલીસકર્મી , જુઓ Video
પંજાબ કિંગ્સની 11 રનની જીત બાદ શશાંકે કહ્યું કે, સાચું કહું તો, મેં સ્કોરબોર્ડ તરફ જોયું ન હતું. પરંતુ પ્રથમ બોલ પર ચોગ્ગો માર્યા પછી, મેં સ્કોરબોર્ડ તરફ જોયું અને શ્રેયસ 97 રન પર હતો. મેં કશું કહ્યું નહીં. તે મારી પાસે આવ્યા અને મને કહ્યું, શશાંક, મારી સદીની ચિંતા કરીશ નહીં. અલબત્ત હું તેમને કહેવા જઈ રહ્યો હતો કે એક રન આપીને તેમને સ્ટ્રાઈક આપવી જોઈએ.
શશાંકે કહ્યું કે,આ કહેવા માટે ખૂબ જ મોટા મન અને હિંમતની જરૂર છે કારણ કે T20માં ખાસ કરીને IPLમાં સદી સરળતાથી ફટકારી શકાતી નથી.
ધનશ્રી એ એવું તે શું કર્યું કે ચહલને લેવા પડ્યા છૂટાછેડા, સાચું કારણ આવ્યું સામે !
શશાંકે કહ્યું કે ઐયરનો મેસેજ સ્પષ્ટ હતો કે બોલર પર એટેક કરતો રહે
શશાંકે જણાવ્યું કે, શ્રેયસે મને કહ્યું, શશાંક, જા અને દરેક બોલ પર ફોર કે સિક્સર મારવાની કોશિશ કર. તેનાથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો. આપણે બધા જાણીએ છીએ કે અંતે આ એક ટીમ ગેમ છે પરંતુ તેમ છતાં તે પરિસ્થિતિઓમાં આટલું નિઃસ્વાર્થ બનવું મુશ્કેલ છે. પરંતુ શ્રેયસ તેમાંથી એક છે. હું તેને છેલ્લા 10-15 વર્ષથી ઓળખું છું. તે બિલકુલ બદલાયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે