IPL 2025 : પંજાબ કિંગ્સે સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવીને IPL 2025ના ક્વોલિફાયર-1માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ જીત સાથે પંજાબની ટીમ 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને આ સિઝનમાં ટોપ-2માં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની છે.
મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં પંજાબનું પુનરાગમન અદ્ભુત રહ્યું છે. મુંબઈ સામેની મેચમાં શ્રેયસે શાનદાર સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો, પરંતુ ઉજવણીની સાથે સાથે તેને એક મોટો ફાયદો પણ મળ્યો છે, હકીકતમાં પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચવાની બે તક મળી છે.
લાઈવ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક સાથે શું વાત કરી રહ્યો હતો શ્રેયસ ઐયર ?
IPL પ્લેઓફમાં કુલ ચાર મેચ છે - ક્વોલિફાયર 1, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ. લીગમાં પ્રથમ અને બીજા ક્રમે રહેનાર ટીમો ક્વોલિફાયર-1માં રમે છે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જાય છે. જે ટીમ હારે છે તેને બીજી તક મળે છે, તે ક્વોલિફાયર 2માં રમે છે, જ્યાં તેનો સામનો એલિમિનેટરના વિજેતા સાથે થાય છે. ત્રીજા અને ચોથા ક્રમાંકની ટીમો એલિમિનેટરમાં એકબીજાનો સામનો કરે છે.
આનો અર્થ એ થયો કે પંજાબ કિંગ્સને IPL ફાઇનલ 2025માં પહોંચવાની બે તકો મળી છે. જો તેઓ ક્વોલિફાયર-1 જીતે છે, તો તેઓ સીધા ફાઇનલમાં પ્રવેશ કરશે. એલિમિનેટર મેચ પોઈન્ટ ટેબલમાં નંબર 3 અને નંબર 4 પર રહેલી ટીમો વચ્ચે રમાશે. આ મેચ હારનારી ટીમ બહાર થઈ જશે. એલિમિનેટર જીતનારી ટીમ ક્વોલિફાયર-2માં ક્વોલિફાયર-1માં હારેલી ટીમ સામે રમશે.
આજે RCBનું ભાગ્ય નક્કી થશે...
MI હવે એલિમિનેટરમાં રમશે, જે મંગળવાર રાત્રે RCB vs LSG મેચ પછી અંતિમ પ્લેઓફ લાઇન-અપ નક્કી કરશે. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવે છે, તો તેઓ ક્વોલિફાયર-1માં PBKS સામે ટકરાશે. હાર બાદ તેઓ 30 મેના રોજ એલિમિનેટરમાં MI સામે ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે