KKR vs RCB Weather Forecast : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે સ્થગિત થયેલી IPL 2025 એક અઠવાડિયા પછી ફરી શરૂ થઈ રહી છે. 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સનો મુકાબલો અધવચ્ચે જ રદ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય થયા પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને નવા સમયપત્રક સાથે ફરી શરૂ કરવાની મંજૂરી આપી. જોકે, 17 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે, જે ચાહકોની મજા બગાડી શકે છે.
RCBનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી છે.
આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, બીજા ક્રમે રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 11 મેચમાંથી 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે તૈયાર છે. ટીમ વધુ એક જીત સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. આવી સ્થિતિમાં, RCB ટોપ-2 માં સ્થાન મેળવવાના ઇરાદા સાથે રમશે. તો આ મેચ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની KKR માટે કરો યા મરોનો મુકાબલો છે. જો હારશે તો સત્તાવાર રીતે પ્લેઓફ રેસમાંથી બહાર ફેંકી દેશે.
90.23 મીટર ભાલો ફેંકીને રચ્યો ઇતિહાસ, કરોડોની સંપત્તિનો માલિક છે નીરજ ચોપરા
મેચ પર સંકટના વાદળો ઘેરાયા
બેંગલુરુમાં સતત વરસાદને કારણે મેચને લઈને સંકટ ઉભું થયું છે, જે મેચનો ઉત્સાહ બગડી શકે છે. જોકે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની સારી વાત એ છે કે તેમાં ભારતની શ્રેષ્ઠ ડ્રેનેજ સિસ્ટમ્સમાંથી એક છે. જોકે, સતત વરસાદને કારણે ક્રિકેટ ચાહકોની મજા બગડી શકે છે.
શું કહે છે વેધર રિપોર્ટ ?
AccuWeather મુજબ, 17 મેના રોજ બેંગલુરુમાં વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. આ ઉપરાંત તાપમાન 21 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આગાહીમાં બપોરે અને સાંજે ભારે વાવાઝોડાની પણ પ્રબળ સંભાવના છે, જેના કારણે મેચમાં વિક્ષેપ પડવાની શક્યતા વધુ વધી ગઈ છે. દિવસ દરમિયાન વરસાદની શક્યતા 84% અને સાંજે 56% છે. દિવસ દરમિયાન વાવાઝોડાની શક્યતા 50% અને સાંજે 34% છે.
જો મેચ વરસાદમાં ધોવાઈ જાય તો શું થશે ?
જો વરસાદને કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય અને બંન્ને એક એક પોઈન્ટ આપવામાં આવે તો RCBના 12 મેચમાંથી 17 પોઈન્ટ થશે, જેનાથી તે ક્વોલિફાય થવા માટે મજબૂત સ્થિતિમાં આવી જશે. જોકે, તેમના પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની બાકીની મેચ જીતવાનું વધુ દબાણ હશે. ફાઇનલમાં પહોંચવાનો વધારાનો ફાયદો મેળવવા માટે RCB ટીમ ટોપ-2 માં રહેવા માંગશે.
બીજી તરફ, આ KKR માટે મોટો આંચકો સાબિત થશે. હાલમાં, KKR 12 મેચોમાં 11 પોઈન્ટ ધરાવે છે અને ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય, તો KKR પ્લેઓફની દોડમાંથી બહાર થઈ જશે. આ પછી ટીમ તેની છેલ્લી મેચ જીત્યા પછી પણ ફક્ત 14 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જ્યાંથી પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે