Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025: હે...સળંગ 5 મેચ હાર્યા બાદ પણ પ્લેઓફમાં પહોંચશે CSK? સમજો આખું સમીકરણ

IPL 2025 CSK vs KKR: સતત પાંચ મેચ હાર્યા બાદ CSK માટે પ્લેઓફનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે, પરંતુ CSKની ટીમ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે એમ છે.
 

IPL 2025: હે...સળંગ 5 મેચ હાર્યા બાદ પણ પ્લેઓફમાં પહોંચશે CSK? સમજો આખું સમીકરણ

IPL 2025 CSK vs KKR: IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. અત્યાર સુધી ટીમે 6 મેચ રમી છે, પરંતુ માત્ર એક જ મેચ જીતી શકી છે. CSKને ગઈ કાલે KKR સામે સીઝન-18માં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સીએસકેની કપ્તાની એમએસ ધોનીના હાથમાં હતી પરંતુ ધોની પણ ટીમનું ભાગ્ય બદલી શક્યો ન હતો. બીજી તરફ CSK પર હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે, પરંતુ આ ટીમ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે.

fallbacks

12 જિલ્લામાં ભારે વરસાદ; ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસાની જેમ તૂટી પડ્યો વરસાદ, શું છે અંબાલાલની આગાહી?

કેવી રીતે પ્લેઓફમાં પહોંચી શકે છે CSK 
IPL 2025 ની પાંચ મેચોમાં CSK નું સુકાની ઋતુરાજ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ખેલાડી ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હવે સીએસકેની કપ્તાની એમએસ ધોની કરી રહ્યા છે. CSK સિઝનની પ્રથમ મેચ જીતી હતી પરંતુ ત્યારથી ટીમ સતત હારી રહી છે. હાલમાં 2 પોઈન્ટ સાથે CSK ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. હાલમાં CSKનો રન રેટ -1.554 છે. CSK માટે અહીંથી પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કેલ હશે પરંતુ ટીમ હજુ પણ ત્યાં પહોંચી શકે છે.

30 લાખ જીતવાની સુવર્ણ તક! રમવી પડશે તમારે આ સ્પર્ધા, જાણો શું છે NASA ની ઓફર?

હાલમાં CSKની 8 મેચ બાકી છે. જેમાંથી ટીમને 7 મેચ જીતવી પડશે, જે ઘણી મુશ્કેલ બની રહી છે. 7 મેચ જીત્યા પછી CSKના 16 પોઈન્ટ હશે અને કોઈપણ ટીમને પ્લેઓફમાં જવા માટે 16 પોઈન્ટની જરૂર પડશે. આવી સ્થિતિમાં CSK પાસે હજુ પણ તક છે.

સતત 5 હાર મળી
CSKને KKR સામે આ સિઝનમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા એમએસ ધોનીની ટીમ 103 રન જ બનાવી શકી હતી. CSK તરફથી બેટિંગ કરતી વખતે શિવમ દુબેએ સૌથી વધુ 31 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ KKR તરફથી સુનીલ નરેને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

ગુજરાતમા સમલૈંગિક પ્રેમનો અજબ કિસ્સો,સંબંધમાં તિરાડ પડતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પછી KKRએ 104 રનનો ટાર્ગેટ 10.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. KKR તરફથી સુનીલ નારાયણે 44, ક્વિન્ટન ડી કોકે 23, અજિંક્ય રહાણેએ અણનમ 20 અને રિંકુ સિંહે અણનમ 15 રન બનાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More