કોલકત્તાઃ કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધઓની ચેન્નઈ સુપર કિંગ્સના ગત મેચમાં અમ્પાયર સાથે દલીલ કરવાના મામલામાં ભલે આલોચનાનો સામનો કરી રહ્યો હોય પરંતુ ટીમમાં તેના સાથે ખેલાડી તાહિરે પૂર્વ ભારતીય કેપ્ટનને 'પ્રેરણાસ્ત્રોત' ગણાવ્યો છે. ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુરૂવારે રાત્રે અમ્પાયર ઉલ્હાસ ગાંધેના નિર્ણયને પડકાર આપવા ડગઆઉટમાંથી નિકળીને મેદાન પર આવી ગયો હતો.
આ ઘટના બાદ ઘણા પૂર્વ ક્રિકેટરોએ બે વખતના વિશ્વ વિજેતા કેપ્ટનની આલોચના કરી હતી. ધોની પર પરંતુ મેચનો પ્રતિબંધ ન લાગ્યો, તેના પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPL 2019: અમ્પાયર વિવાદ પર ગાંગુલીએ ધોનીનો કર્યો બચાવ
ધોની વૈશ્વિક ક્રિકેટ એકેડમીની કોલકત્તામાં શરૂઆતના અવસર પર તાહિરે આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયાથી બચતા કહ્યું, તે દરેક કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે, એક શાનદાર કેપ્ટન અને મનુષ્ય. તે હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર રહે છે. હું આ માટે આ એકેડમી સાથે જોડાયો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે