Rajasthan Royals Match Fixing : IPLની 18મી સિઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના સંયોજક જયદીપ બિહાનીએ સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી આ ટીમ પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ પછી રાજસ્થાન રોયલ્સ દ્વારા આ તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા. આ વિવાદમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સ તેની સતત બે મેચ હારી હતી, પરંતુ આ બંને મેચમાં ટીમની પકડ છેવટ સુધી મજબૂત રહી હતી. બંને મેચમાં ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી જ્યારે ઘણી વિકેટ બાકી હતી અને બેટ્સમેન પણ યોગ્ય હતા. રાજસ્થાન સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ હારી ગયું, જ્યારે ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 2 રનથી હારી ગઈ. આ પછી જ બિહાનીએ ટીમ પર સવાલો ઉઠાવ્યા હતા.
IPL 2025 વચ્ચે દુ:ખદ સમાચાર, આ દિગ્ગજ ઓપનરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર
ઓછી ટિકિટ મળવી એ ગુસ્સાનું કારણ છે ?
મીડિયા અહેવાલ મુજબ, IPL 2025 દરમિયાન રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને સામાન્ય કરતા ઓછી ટિકિટો મળવાથી નારાજગીનું કારણ બની શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RCAને સામાન્ય રીતે દરેક મેચ માટે 1800 ટિકિટ મળતી હતી, પરંતુ આ વર્ષે આ સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાજસ્થાન રોયલ્સ દ્વારા આરસીએને મેચ દીઠ 1000 થી 1200 ટિકિટ આપવામાં આવે છે.
રાજસ્થાન રોયલ્સની નજીકના સૂત્રને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "સિઝનની શરૂઆતમાં બીસીસીઆઈએ અમને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે RCAનું વિસર્જન કરવામાં આવ્યું હોવાથી, અમે તમામ વ્યવસ્થાઓ માટે રાજસ્થાન સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ (RSSC)નો સંપર્ક કરીશું."
પહલગામ હુમલાને લઈને મોટો નિર્ણય...IPLમાં સેલિબ્રેશન બંધ, ચીયરલીડર્સ પણ નહીં
સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, "આરસીએના અસંતુષ્ટ સભ્યો અને તેમના સહયોગીઓ વધુ ટિકિટની માંગણી કરી રહ્યા છે, અને અમે તેમની વાત સાંભળી રહ્યા નથી. આ સમગ્ર ડ્રામા પાછળનું આ એકમાત્ર કારણ છે."
બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "હાલ માટે, આરસીએનું વિસર્જન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી, બીજી સમિતિની રચના કરવામાં આવી છે. તેથી ઘણો ડ્રામા ચાલી રહ્યો છે. દરેક લોકો ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. બીસીસીઆઈ પાસે એક ભ્રષ્ટાચાર વિરોધી એકમ છે જે ચોવીસ કલાક કામ કરે છે જેથી રમતમાં આ બધા ખરાબ તત્વોને દૂર રાખવામાં આવે."
મેચ ફિક્સિંગના આરોપો પર રાજસ્થાન રોયલ્સ
આ આરોપોના સંદર્ભમાં રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "અમે આ તમામ આરોપોને ફગાવીએ છીએ. આવા નિવેદનો માત્ર ગેરમાર્ગે દોરનારા નથી પરંતુ રાજસ્થાન રોયલ્સ ટીમ, RMPL, રાજસ્થાન રોયલ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને BCCIની પ્રતિષ્ઠાને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે. તેઓએ ક્રિકેટની રમતની અખંડિતતાને કલંકિત કરી છે." રાજસ્થાનની ટીમે સ્પષ્ટતા કરી કે તે ટુર્નામેન્ટના સફળ આયોજન માટે રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલ અને BCCI સાથે મળીને કામ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે