IPL News: આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં રિષભ પંતે ઈતિહાસ રચી દીધો હતો. લખનઉ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સોદો છે. દિલ્હી કેપિટલ્સે તેને રિટેન ન કર્યો પરંતુ ઓક્શનમાં રાઇટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો, પરંતુ લખનઉની મોટી બોલી સામે દિલ્હીએ પાછળ હટવું પડ્યું હતું. પરંતુ શું રિષભ પંતે પૂરેપૂરા 27 કરોડ રૂપિયા મળશે? જવાબ છે- નહીં. ટેક્સ અને અન્ય કપાત બાદ તેનો ઇન-હેન્ડ પગાર ઘટી જશે. આવો તમને સમજાવીએ.
ટેક્સ કેટલો કપાશે, પંતને હાથમાં શું મળશે?
આઈપીએલની કમાણી 'પ્રોફેશનલ ઇનકમ' હેઠળ આવે છે અને તેના પર ઇનકમ ટેક્સનો ઉચ્ચ દર લાગૂ થાય છે. નીચે વાંચો ટેક્સ બ્રેકઅપ
30% આવકવેરો: ₹8.6 કરોડ
સરચાર્જ (39%): ₹2.98 કરોડ
સેસ (4%): ₹44 લાખ
કુલ કર ભરવાનો: ₹11.48 કરોડ
આ હિસાબથી પંતને હાથમાં માત્ર 15.52 કરોડ જ મળશે. એટલે કે લગભગ 42.5 ટકા રકમ ટેક્સમાં જતી રહેશે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયામાં બે ચોંકાવનારા નામોની થશે એન્ટ્રી, શનિવારે જાહેર થશે સ્ક્વોડ
શું ખર્ચ દેખાડી ટેક્સ બચાવી શકાય છે?
જી હાં, જો પંત પોતાના કેટલાક ખર્ચ જેમ કે ટ્રાવેલિંગ, હોટલ સ્ટે, કિટ્સ, કોચિંગ, મેનેજમેન્ટ ફી વગેરે યોગ્ય રીતે દર્શાવે તો તે ટેક્ચ બચાવવાના કેટલાક વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. તેવામાં તેની આવકમાં થોડો વધારો થઈ શકે છે. કર નિષ્ણાંતો અનુસાર જો પંત પોતાના ખર્ચાને મજબૂતી રીતે ક્લેમ કરે છે તો તેની નેટ ઇનકમ ₹16.47 કરોડ સુધી જઈ શકે છે. ફ્રેન્ચાઇઝી એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સ ટીડીએસ (TDS) ના રૂપમાં 10 ટકા રકમ કાપી શકે છે. પરંતુ આ રકમ પંતે બાદમાં પોતાના આવકવેરા રિટર્ન ભરવા સમયે ક્લેમ કરવી પડશે જે તેને રિફંડ મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે