Dharmshala Stadium Blackout: પાકિસ્તાન તરફથી થયેલા હુમલાને કારણે ધર્મશાલામાં IPL મેચ રદ કરવામાં આવી. આ મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી હતી. જ્યારે મેચ રદ કરવામાં આવી ત્યારે પંજાબની ઇનિંગની 11મી ઓવર ફેંકાઈ રહી હતી. અચાનક રમત બંધ થઈ ગઈ અને અમ્પાયરોએ ખેલાડીઓને મેદાન છોડી જવા કહી દીધું હતું.
આ પછી મેદાનની ફ્લડલાઇટ બંધ કરી દેવામાં આવી અને દર્શકોને બહાર કાઢવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને જમ્મુથી લઈને જેસલમેર સુધીના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. જો કે, ભારતીય સેનાએ તમામ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. આ હુમલાઓ પછી સરહદ પર સ્થિત વિવિધ શહેરોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.
11મી ઓવરમાં ફસાઈ મેચ
આજની મેચમાં પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે તેમના ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ સાથે સારી શરૂઆત કરી હતી. બન્ને બેટ્સમેનોએ મિશેલ સ્ટાર્કથી લઈને કુલદીપ યાદવ સુધી બધા પર જોરદાર શોટ ફટકાર્યા હતા. પંજાબે 122 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. જ્યારે પ્રિયાંશ આર્ય 74 રન બનાવીને ટી નટરાજનના હાથે કેચ આઉટ થયો હતો.
આ પછી પંજાબનો કેપ્ટન શ્રેયસ ઐયર બેટિંગ માટે આવ્યો હતો. પરંતુ આ જ ક્ષણે મેચ બંધ થઈ ગઈ હતી. અમ્પાયર અને બધા ખેલાડીઓ મેદાનમાં એક જગ્યાએ એકઠા થયા હતા. બીજી તરફ કોમેન્ટેટર્સે કહ્યું કે, ફ્લડલાઇટમાં સમસ્યાને કારણે મેચ બંધ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે