MS Dhoni : IPLની દરેક સિઝન પછી, એવી ચર્ચાઓ વેગ પકડે છે કે શું એમએસ ધોની હવે IPLમાંથી પણ નિવૃત્તિ લેશે. પરંતુ જ્યારે IPL શરૂ થાય છે ત્યારે ધોની ફરીથી રમતા જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને પાંચ વર્ષ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. આ દરમિયાન એમએસ ધોનીના સાથી ખેલાડીએ ધોનીની નિવૃત્તિ વિશે કંઈક એવું કહ્યું, જેણે સનસનાટી મચાવી દીધી. જોકે, હજુ પણ કોઈ ચોક્કસ કહી શકતું નથી કે ધોની ક્યારે IPLમાંથી નિવૃત્તિ લેશે
IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ કરશે પરફોર્મ ? આવી ગયું લિસ્ટ
MS ધોની સાથે CSK માટે રમી ચૂકેલા રોબિન ઉથપ્પાને જ્યારે એક કાર્યક્રમમાં MS ધોનીની નિવૃત્તિ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે જો ધોની IPLની આ સિઝન પછી નિવૃત્તિ લેશે તો તેને આશ્ચર્ય થશે નહીં. તેણે એમ પણ ઉમેર્યું હતું કે જો તે આ પછી વધુ ચાર સિઝન રમશે તો તેને આશ્ચર્ય થશે નહીં. એટલે કે એકંદરે રોબિન ઉથપ્પા પણ કહેવા માંગે છે કે ધોની ક્યારે નિવૃત્તિ લેશે તે ફક્ત ધોનીને જ ખબર છે.
ધોની CSK માટે સાત કે આઠમા નંબર પર બેટિંગ કરશે
રોબિન ઉથપ્પાએ કહ્યું કે, આ વખતે પણ ધોની તેની ટીમ માટે સાત કે આઠમા નંબર પર બેટિંગ કરવા આવશે. ગયા વર્ષે પણ આવું જ જોવા મળ્યું હતું, જ્યારે તે 12 થી 20 બોલ રમતો હતો. ધોનીની નિવૃત્તિ પર ઉથપ્પાએ કહ્યું કે તેને નથી લાગતું કે રમત પ્રત્યેનો જુસ્સો ક્યારેય ખતમ થઈ જાય છે. ધોનીનો રમત પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી અને તે હજુ પણ યુવાનોની જેમ ચપળ છે.
મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ડ-દીપક ચહરને કેમ ખરીદ્યા? હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો
CSKની ટીમ પોતાની પ્રથમ મેચ 23 માર્ચે મુંબઈ સામે રમશે
IPL શરૂ થયા પહેલા જ એમએસ ધોનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ધોની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. તેણે પોતાનો હેલિકોપ્ટર શોટ પણ બતાવ્યો અને ઝડપી બોલરોના યોર્કર સામે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. IPL 22 માર્ચથી શરૂ થશે, પરંતુ CSK ટીમ તેની પ્રથમ મેચ 23 માર્ચે રમશે, જ્યારે તેનો સામનો તેના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. જો કે હવે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ છે, પરંતુ તેમ છતાં ધોની આ ટીમનો સૌથી મોટો સ્ટાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે