Home> Sports
Advertisement
Prev
Next

કપિલ શર્મા સાથે કનેક્શન, પરદાદા હિન્દુ....આ પાકિસ્તાની ક્રિકેટરે કેમેરા સામે ખોલ્યું મોટું રહસ્ય

Pakistan : પાકિસ્તાનના એક ક્રિકેટરે પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. આ ક્રિકેટરે તેનું ભારત સાથે ગાઢ જોડાણ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તેણે કપિલ શર્મા સાથે પણ કનેક્શન હોવાની વાત કરી છે, ત્યારે જાણી લઈએ આ ક્રિકેટર કોણ છે. 

કપિલ શર્મા સાથે કનેક્શન, પરદાદા હિન્દુ....આ પાકિસ્તાની ક્રિકેટરે કેમેરા સામે ખોલ્યું મોટું રહસ્ય

Pakistan : એક સમયે વિશ્વના મહાન સ્પિન બોલરોમાં સામેલ સકલેન મુશ્તાકે પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. સકલેન મુશ્તાકે એક મોટું રહસ્ય ખોલ્યું છે અને દાવો કર્યો છે કે ભારત સાથે તેનું ગાઢ જોડાણ છે. તમને જણાવી દઈએ કે સકલેન મુશ્તાક ઘાતક સ્પિન બોલિંગ નાટે જાણીતો હતો. સકલેન મુશ્તાકે પાકિસ્તાન માટે 169 ODI મેચ રમી છે, જેમાં તેણે 288 વિકેટ લીધી છે. આ સિવાય સકલેન મુશ્તાકે 49 ટેસ્ટ મેચમાં 208 વિકેટ લીધી છે.

fallbacks

33મી ઓવરના બીજા બોલ પર જાડેજાએ એવું તે શું કર્યું કે ગુસ્સે થયો આ દિગ્ગજ કોમેન્ટેટર

સકલેન મુશ્તાકનું ભારત સાથે કનેક્શન 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 496 વિકેટ લેનાર પૂર્વ ઓફ સ્પિનર ​​સકલેન મુશ્તાકે પાકિસ્તાનની એક ટીવી ચેનલ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સકલેન મુશ્તાકે ખુલાસો કર્યો હતો કે તે ભારતના અમૃતસર શહેર સાથે ઊંડો સંબંધ ધરાવે છે અને તેનો પરિવાર પણ ત્યાંનો છે. સકલેન મુશ્તાકે જણાવ્યું કે તેના પરદાદાનું નામ રૂડ સિંહ હતું. સકલેન મુશ્તાકના જણાવ્યા અનુસાર, તેના પરદાદા રૂડ સિંહ મુસ્લિમ બની ગયા હતા. આ સિવાય સકલેન મુશ્તાકે ભારતીય કોમેડિયન કપિલ શર્માનું નામ લીધું છે અને તેને તેના ગામનો હોવાનું જણાવ્યું છે.

દાદા ભારતથી પાકિસ્તાનમાં આવીને સ્થાયી થયા 

સકલેન મુશ્તાકે કહ્યું કે કપિલ શર્મા મારા ગામ (અમૃતસરમાં)નો રહેવાસી છે. હું કપિલ શર્માને એક વાર દુબઈમાં મળ્યો હતો, જે દરમિયાન અમે અમૃતસર વિશે ઘણી વાતો કરી હતી. ત્યારે મેં કપિલ શર્માને પૂછ્યું કે તમે અમૃતસરના રહેવાસી છો. સકલેન મુશ્તાકે ચાહકોને જણાવ્યું કે તેમના પરદાદા અમૃતસરમાં રહેતા હતા, જેનું નામ રૂડ સિંહ હતું, પછી તેઓ મુસ્લિમ બન્યા અને ભારતમાંથી પાકિસ્તાન આવીને સ્થાયી થયા.

મેદાન પર બધાની સામે અક્ષર પટેલને પગે પડ્યો વિરાટ કોહલી? Video જોઈને દંગ રહેશો

ભારતને આપ્યો મોટો પડકાર 

સકલેન મુશ્તાકે તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પડકાર આપ્યો હતો. સકલેન મુશ્તાકે કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા ખરેખર એટલી સારી છે તો તેણે પાકિસ્તાન સામે 10 ટેસ્ટ, 10 વનડે અને 10 ટી-20 મેચ રમવામાં સંકોચ ન કરવો જોઈએ. સકલેન મુશ્તાકે એમ પણ કહ્યું કે જો આમ થશે તો બંને ટીમોમાંથી કઇ ટીમ સારી છે તે બધાને ખબર પડી જશે કે ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More