Shubman Gill Statement : મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક રોમાંચક એલિમિનેટર મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ ગુજરાતને 20 રનથી હરાવ્યું હતું. તો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે મેચમાં થયેલી હાર અંગે એક મોટો ખુલાસો કર્યો છે. હારના કારણો વિશે વાત કરતા, શુભમને કહ્યું કે મેચમાં સતત ત્રણ કેચ છોડવાથી બોલરોને ફિલ્ડિંગની મદદ મળવાથી બોલરો માટે રમતને પોતાના નિયંત્રણમાં રાખવી પણ મુશ્કેલ બની જાય છે.
શુભમન ગિલે ખુલાસો કર્યો
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે એલિમિનેટર મેચમાં થયેલી હાર પર કહ્યું કે 'આજે ક્રિકેટની શાનદાર મેચ હતી, અમે વધુ સારી મેચ રમી. આજની મેચમાં છેલ્લી 3-4 ઓવર અમારા પક્ષમાં નહોતી, પરંતુ તેમ છતાં તે એક શાનદાર મેચ હતી'. હારના કારણો વિશે વાત કરતા, ગિલે કહ્યું કે '3 કેચ છોડ્યા પછી, બોલરો માટે રમતને નિયંત્રણમાં રાખવી સરળ નથી'.
MI vs GT : શુભમન ગિલને આ ભૂલ પડી ગઈ ભારે, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે ટ્રોલ
શુભમન ગિલે કહ્યું કે 'જ્યારે અમે બેટિંગ કરવા આવ્યા ત્યારે અમારી સામે ફક્ત એક જ વાત હતી કે આપણે ફક્ત એ જ રમત રમવી પડશે જે આપણે રમવા માંગીએ છીએ. સાઈ અને વોશિંગ્ટનને પણ એ જ કહેવામાં આવ્યું હતું. બંનેનો એક જ ધ્યેય હતો કે આપણે આ મેચ જીતીએ. ગિલે વધુમાં કહ્યું કે 'અહીં સુધીની સફર માટે બધા ખેલાડીઓ શ્રેયને પાત્ર છે, ખાસ કરીને સાઈ સુદર્શન. સાઈ આ સિઝનમાં ગુજરાત માટે ખૂબ જ સારું રમ્યો.' ગિલે વધુમાં કહ્યું કે 'આ પીચ પર 210 રનના લક્ષ્યનો પીછો કરવો યોગ્ય હોત.'
મુંબઈ ક્વોલિફાયર-2માં પહોંચ્યું
મુંબઈ ઇન્ડિયન્સ આ મેચ જીતીને ક્વોલિફાયર-2માં પહોંચી ગયું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ શ્રેયસ ઐયરની ટીમ પંજાબ કિંગ્સ સાથે ટકરાશે. મુંબઈ અને પંજાબ વચ્ચેની આ મેચ જે પણ ટીમ જીતશે, તે ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ફાઇનલ મેચ રમશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે