પુલવામામાં આતંકી હુમલાના CCTV ફૂટેજ મળ્યા
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જવાનો શહીદ થયાં. આ હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એનઆઈએને મહત્વનો પુરાવો મળી આવ્યો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ એજન્સી પાસે એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. જેમાં આતંકી હુમલાને અંજામ આપનારો જૈશ એ મોહમ્મદનો આતંકી આદિલ અહેમદ ડાર ઈકો કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએને આ ફૂટેજ ઘટનાસ્થળેથી થોડે દૂર નેશનલ હાઈવે પરથી મળી આવ્યું છે. જેમાં આદિલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જવાનો શહીદ થયાં. આ હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એનઆઈએને મહત્વનો પુરાવો મળી આવ્યો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ એજન્સી પાસે એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. જેમાં આતંકી હુમલાને અંજામ આપનારો જૈશ એ મોહમ્મદનો આતંકી આદિલ અહેમદ ડાર ઈકો કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએને આ ફૂટેજ ઘટનાસ્થળેથી થોડે દૂર નેશનલ હાઈવે પરથી મળી આવ્યું છે. જેમાં આદિલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
|Updated: Feb 25, 2019, 12:40 PM IST
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જવાનો શહીદ થયાં. આ હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એનઆઈએને મહત્વનો પુરાવો મળી આવ્યો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ એજન્સી પાસે એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. જેમાં આતંકી હુમલાને અંજામ આપનારો જૈશ એ મોહમ્મદનો આતંકી આદિલ અહેમદ ડાર ઈકો કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએને આ ફૂટેજ ઘટનાસ્થળેથી થોડે દૂર નેશનલ હાઈવે પરથી મળી આવ્યું છે. જેમાં આદિલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.