સ્ટ્રેસ, ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધતી જાય છે.
જેમાં સૌથી વધારે પેટની સમસ્યાઓ હોય છે જેમકે અપચો, ગેસ, કબજિયાત.
આજે તમને એવા અસરકાર ઉપાય વિશે જણાવીએ જે પાચનની સમસ્યાથી રાહત આપશે.
જે લોકોને અપચો અને ગેસ વારંવાર થતા હોય તેમણે રોજ પવનમુક્તાસન કરવું જોઈએ.
ધનુરાસન કરવાથી પણ પેટના અંગો પર સારો પ્રભાવ પડે છે. જે પાચન તંત્રને સુધારે છે.
ભુજંગાસન કરવાથી કરોડરજ્જુની સ્થિતિ સુધરે છે અને ગેસ, એસિડિટીથી રાહત થાય છે.