આ વર્ષે ગુરુ પુર્ણિમા 10 જુલાઈ 2025 ના રોજ મનાવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ લેવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો.
તેથી ઘણી જગ્યાએ આ પૂનમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ કહેવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા ગુરુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવા માટે પણ ખાસ છે.
પૂર્ણિમાના દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવત ગીતા ઘરે લાવવાથી અને ગીતાનો પાઠ કરવાથી મનને શાંતિ મળે છે.
પૂર્ણિમાના દિવસે શ્રી યંત્ર ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે શ્રીયંત્રમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
લાફિંગ બુદ્ધા ઘરે લાવવાથી પણ લાભ થાય છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને ખુશીઓ વધે છે.