પૂજા પછી જ્યારે આરતી લેવામાં આવે છે તો થાળીમાં પૈસા મુકવાની પરંપરા છે.
વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આ નિયમને પાળે છે.
પરંતુ મોટાભાગના લોકો આ પ્રથાનું મહત્વ શું છે તે નથી જાણતા.
આજે તમને જણાવીએ આરતી લીધા પછી થાળીમાં પૈસા મુકવા શા માટે જરૂરી છે ?
પ્રથા પાછળનું ખાસ કારણ છે દાન અને તેને સનાતન ધર્મમાં શુભ માનવામાં આવ્યું છે.
પુજારી પોતાનું જીવન ભગવાનની સેવા અને ભક્તિ કરવામાં સમર્પિત કરે છે અને તેમને દાન આપવું શુભ ગણાય છે.
આરતીની થાળીમાં જે પૈસા મુકવામાં આવે છે તે પૂજારી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ છે.
આરતીમાં દાન કરેલા ધનથી પૂજા આરતી લેનારના જીવનમાં પણ સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.