પૂજા, પાઠ અને ધાર્મિક કાર્યો દરમિયાન કાંડા પર લાલ-પીળા રંગનું રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે.
પૂજા પહેલા કાંડુ બાંધવાની પરંપરા વર્ષોથી છે. આ રક્ષા સૂત્ર સંબંધિત મહત્વના નિયમ વિશે આજે જાણીએ.
પૂજા કરાવનાર પંડિત કાંડુ બાંધતા હોય છે પરંતુ તેને ક્યારે ઉતારવું તેના વિશે જાણકારી હોતી નથી.
ઘણા લોકો તો મહિનાઓ સુધી આ દોરો બાંધી રાખે છે જ્યારે કેટલાક લોકો પૂજા પછી તુરંત તેને ખોલી નાખે છે.
પૂજા પછી 21 દિવસ સુધી તેને બાંધી શકાય છે વધારે દિવસ પછી તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.
હાથમાં બાંધેલા જૂના રક્ષા સૂત્ર પર નવું રક્ષા સૂત્ર બાંધવું યોગ્ય નથી.
21 દિવસ સુધી જ કાંડા પર રક્ષા સૂત્ર બાંધવું ત્યારબાદ તેનો સકારાત્મક પ્રભાવ ખતમ થઈ જાય છે.
21 દિવસ રક્ષા સૂત્ર કાંડા પરથી ઉતારી માટીમાં દાટી દેવું જોઈએ.