Home> World
Advertisement
Prev
Next

Baba Vanga Predictions: શું બાબા વેંગાની રહસ્યમયી ભવિષ્યવાણી 7 જૂન 2025 બાદ સાચી પડશે? શું કહ્યું છે ભારત વિશે

Baba Vanga Predictions for 2025: બ્રેક્ઝિટ અને પુતિન પર હુમલો તથા 9/11ની સટિક ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાની વધુ એક ભવિષ્યવાણી હાલ ચર્ચામાં છે. એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે બાબા વેંગાની એ રહસ્યમય ભવિષ્યવાણી પણ સાચી પડશે?

Baba Vanga Predictions: શું બાબા વેંગાની રહસ્યમયી ભવિષ્યવાણી 7 જૂન 2025 બાદ સાચી પડશે? શું કહ્યું છે ભારત વિશે

ગુપ્ત અહેવાલો, ખગોળ વૈજ્ઞાનિકોની હલચલ અને જળવાયુ વિશેષજ્ઞોની ચિંતાઓ બાબા વેંગાની ભવિષ્યવાણી સાથે મેળ ખાઈ રહી છે. બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરી છે. વર્ષ 2025 માટે પણ તેમની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આવનારો દિવસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યા છે. દુનિયા બે યુદ્ધ લાંબા સમયથી જોઈ રહી છે. 

fallbacks

રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ હમાસ ( પેલેસ્ટાઈન) સંઘર્ષ પણ ચાલુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ છે ત્યારે આવામાં 7 જૂન 2025 બાદ એવું તે શું થઈ રહ્યું છે કે જ લોકોને ડરાવી રહ્યું છે. વૈદિક પંચાંગ મુજબ 7 જૂનના રોજ મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને યુદ્ધ, હુમલા, દુર્ઘટના, અને આગચંપી વગેરેના કારક ગણવામાં આવે છે. ઉપરથી આ વર્ષ એ અંકશાસ્ત્ર મુજબ મંગળનું વર્ષ છે. 

કોણ હતા બાબા વેંગા
બાબા વેંગા નેત્રહિન ભવિષ્યવક્તા હતા. જે બલ્ગેરિયાના હતા. તેમનો જન્મ 1911માં થયો હતો. તેમણે જીવનભર વૈશ્વિક ઘટનાઓ પર ભવિષ્ય ભાખ્યું હથું. કેટલીક ભવિષ્યવાણીઓ તો એટલી સટિક હતી કે દુનિયા ચોંકી ગઈ. તેમનું મૃત્યુ 1996માં થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીઓ 5079 સુધી ચોપડે નોંધાયેલી છે. 

7 જૂન 2025 કેમ મહત્વપૂર્ણ?
2025ની સૌથી રહસ્યમય તિથિઓમાંથી એક 7 જૂન મનાઈ રહી છે. કારણ કે આ દિવસે મંગળનું ગોચર સિંહ રાશિમાં થશે. જે વૈશ્વિક રાજકારણ અને અર્થવ્યવસ્થા પર મોટી અસર પાડી શકે છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ આ દિવસે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉચ્ચ ચુંબકીય હલચલ નોંધાય તેવી સંભાવના છે. જે હવામાન અને માનસિક સ્થિતિ બંને પર અસર પાડી શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2025માં માનવતાને એક એવા નિર્ણયનો સામનો કરવો પડશે જે તેને કા તો બચાવી શકશે અથવા તો સમાપ્ત કરી શકે છે. 

બાબા વેંગાની કઈ ભવિષ્યવાણી 7 જૂન 2025 બાદ સાચી પડી શકે?

દુનિયા બે ભાગમાં વહેંચાશે
બાબા વેંગાએ કહ્યું હતું કે 2025 બાદ દુનિયા બે અલગ અલગ માનસિકતાવાળી સભ્યતાઓમાં વહેંચાશે. એક ટેક્નોલોજીમાં ડૂબેલી તો બીજી આધ્યાત્મમાં ખોવાયેલી. આજની દુનિયા પહેલેથી જ AI અને સાધના એમ  બે કિનારે ઊભેલી છે. જૂન 2025 બાદ આ અંતરનો વિસ્ફોટક વિસ્તાર જોવા મળી શકે છે. 

અચાનક દક્ષિણ ગોળાર્ધમાં મોટો વિસ્ફોટ
દક્ષિણ એટલાન્ટિક અનોમલી(South Atlantic Magnetic Anomaly) વૈજ્ઞાનિકોને લાંબા સમયથી ડરાવી રહ્યો છે. બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે 'નીચેની બાજુથી ઉઠનારો ધુમારો બધાને ડરાવશે.' આ ભવિષ્યવાણી દક્ષિણી ગોળાર્ધમાં કોઈ ભૂગર્ભીય કે પરમાણુ ગતિવિધિ સંલગ્ન હોઈ શકે. 

પાણીમાં ઝેર ભળશે, નવી બીમારી આવશે
2025માં સમુદ્રી તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચી રહ્યું છે. વિશેષજ્ઞો માને છે કે જૂન 2025 બાદ પાણીનો વાયરસ અને ફંગસ નવી મહામારીઓનું કારણ બની શકે છે. બાબા વેંગાનો ઈશારો જળવાયુ પરિવર્તનની ઘાતક સચ્ચાઈ સંલગ્ન પણ હોઈ શકે છે. 

શું વિજ્ઞાન પણ આપે છે સંકેત?
નાસાના જણાવ્યાં મુજબ 2025માં સૂર્યની ગતિવિધિઓ ચરમસીમાએ હશે જેનાથી સૌર તોફાનોની શક્યતા વધી શકે છે. જૂનના મધ્ય સુધી ચુંબકીય તોફાનોના કારણે સંચાર, સેટેલાઈટ, અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી શકે. 

ભારતની શું ભૂમિકા
બાબા વેંગાએ ભારત અંગે પણ સંકેત આપ્યો હતો. તેમનું કહેવું હતું કે પૂર્વનો એક દેશ આધ્યાત્મથી પશ્ચિમની લહેરોને રોકવાની કોશિશ કરશે. શું ભારત તરફ આ ઈશારો છે, જે ટેક્નોલોજી અને આધ્યાત્મ  બંનેનો ગઢ બની ચૂક્યો છે? જૂન 2025 બાદ ભારત ગ્લોબલ ઈમેજ અને નિર્ણાયક ભૂમિકામાં આવે તેવું શક્ય છે. 

શાસ્ત્ર જ્યોતિષ શું કહે છે
બૃહસ્પતિ એટલે કે ગુરુનું ગોચર થઈ ગયું છે. ગુરુની ચાલમાં વર્ષ 2025માં મોટા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. તેનો પૂર્ણ પ્રભાવ 7 જૂન બાદથી મહેસૂસ થવાનું શરૂ થશે. બૃહસ્પતિનો સંબંધ ધર્મ, સત્ય, નિર્ણય અને ન્યાય સાથે છે. આ ગોચર વૈશ્વિક નિર્ણય અને સભ્યતાઓના નૈતિક પતન અને પુર્નજાગરણનું કારણ બની શકે છે. 

ચેતવણી છે આ ભવિષ્યવાણી?
બાબા વેંગાની ભવિષ્યવાણી એક માત્ર કહાની નહીં પરંતુ ચેતવણી છે. 7 જૂન 2025 બાદ દુનિયામાં જે ફેરફાર થશે તે ફક્ત સરકારો અને વિજ્ઞાન માટે નહીં પરંતુ લોકોની માનસિકતા માટે પણ નિર્ણાયક સાબિત થઈ શકે. 

અત્રે જણાવવાનું કે બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણીઓ ખુબ સટિક હતી પરંતુ બધી સાચી પડી નથી એ પણ એટલું સાચુ છે. આમ છતાં તેમનો ટ્રેક રેકોર્ડ ચોંકાવનારો છે. તેમણે પૂર્વના એક દેશના આધ્યાત્મિક નેતૃત્વનો ઉલ્લેખ કર્યો હતો જે ભારત માટે મહદઅંશે સાચુ લાગે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More