Home> World
Advertisement
Prev
Next

ભીખારી બનશે અમીર, પાકિસ્તાનના હાથમાં લાગ્યો જેકપોટ, આવનારી પેઢીઓ બેઠી-બેઠી ખાશે!

Pakistan News: શું પાકિસ્તાન જેવા ભીખારી દેશના પણ સારા દિવસો આવશે, આવું અમે નથી કહી રહ્યા આવું પાકિસ્તાનમાં આવેલા એક સેમ્પલ કહી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ખાણ-ખનીજ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે 127 સ્થળોના સેમ્પલ વિશે જણાવ્યું છે. 
 

ભીખારી બનશે અમીર, પાકિસ્તાનના હાથમાં લાગ્યો જેકપોટ, આવનારી પેઢીઓ બેઠી-બેઠી ખાશે!

Pakistan News: પાકિસ્તાનના પૂર્વ ખાણ-ખનીજ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે કહ્યું કે પાકિસ્તાનના જીઓલોજિકલ સર્વેએ 127 સ્થળો પરથી સેમ્પલ લઈને આ સોનાના ભંડારની પુષ્ટિ કરી છે.

fallbacks

ગરીબી અને ભૂખમરામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં 28 લાખ તોલા સોનું મળ્યું છે અને તેની કિંમત 800 અબજ પાકિસ્તાની રૂપિયા થતી હોવાનું કહેવાય છે. પાકિસ્તાનના પંજાબના પૂર્વ માઈનિંગ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે જિયોલોજિકલ સર્વે ઓફ પાકિસ્તાનને દ્વારા આ દાવો કર્યો છે. પૂર્વ મંત્રી કહેવું છે કે પંજાબ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે એક વિસ્તારમાં સોનાનો આટલો મોટો ભંડાર મળી આવ્યો છે કે દેશની ગરીબી પળવારમાં ખતમ થઈ જશે. એટલું જ નહીં, આવનારી ઘણી પેઢીઓ પણ લક્ઝરી જીંદગીનો આનંદ ઉઠાવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ઇબ્રાહિમ હસન મુરાદે કહ્યું કે આ ગોલ્ડ રિઝર્વ પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકે છે કારણ કે આ સોનાની કિંમત 800 અબજ પાકિસ્તાની રૂપિયા છે. તેમણે કહ્યું કે 'પંજાબના પૂર્વ ખાણ ખનીજ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે એક અભૂતપૂર્વ શોધનો ખુલાસો કર્યો છેઃ એટોકથી 32 કિલોમીટરના અંતરેથી 800 અબજ પાકિસ્તાની રૂપિયાનું 28 લાખ તોલા સોનું મળી આવ્યું છે. આ શોધને પાકિસ્તાનના જીઓલોજિકલ સર્વે દ્વારા માન્ય કરવામાં આવી છે. આ પંજાબના કુદરતી સંસાધનોની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરે છે. વ્યાપક સર્વેક્ષણ દ્વારા 2.8 મિલિયન તોલા સોનાની પુષ્ટિ કરવામાં આવી છે.

5 ભાગમાં વહેંચાઈ રહ્યો છે આ કંપનીનો શેર, આ અઠવાડિયે રેકોર્ડ ડેટ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શોધની વૈજ્ઞાનિક ચકાસણી પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જિયોલોજિકલ સર્વેએ 127 સ્થળોના નમૂના લીધા છે. ભૂતપૂર્વ ખાણકામ મંત્રીએ કહ્યું કે દેશના પુનરુત્થાન અને આવનારી પેઢીઓ માટે નવી તકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પાકિસ્તાનમાં પણ હાલમાં બેરોજગારી તેની ટોચ પર છે, તે છેલ્લા દસ વર્ષમાં 1.5% થી 7% પર આવી ગઈ છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાય ન્યૂઝ અનુસાર, દેશનો જીડીપી દર સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતો છે. પાકિસ્તાનનો બેરોજગારી દર ભારત અને બાંગ્લાદેશ કરતા ઘણો વધારે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વધતી જતી વસ્તીને કારણે સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત મુદ્દાઓ સાથે વ્યવહાર કરવો મુશ્કેલ છે. દર વર્ષે પાકિસ્તાનની વસ્તીમાં 50 લાખનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગરીબી વધી રહી છે. આ સિવાય બેરોજગારીનો સામનો કરવા માટે દર વર્ષે 15 લાખ નવી નોકરીઓની જરૂર છે.

અદાણીના આ શેરમાં આવ્યો ભૂકંપ, 2 દિવસમાં સ્ટોકમાં 17%નો ઘટાડો, જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More