Home> World
Advertisement
Prev
Next

બ્રિટેનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ હટાવ્યો, 8 જાન્યુઆરીથી શરૂ થશે સેવાઓ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Civil aviation minister)એ બ્રિટનથી ભારત આવતી-જતી તમામ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ નવા વર્ષના દિવસે તેના સત્તાવાર ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે

બ્રિટેનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ હટાવ્યો, 8 જાન્યુઆરીથી શરૂ થશે સેવાઓ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Civil aviation minister)એ બ્રિટનથી ભારત આવતી-જતી તમામ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ નવા વર્ષના દિવસે તેના સત્તાવાર ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. તેમણે માહિતી આપી હતી કે 8 જાન્યુઆરીથી બ્રિટન અને ભારત વચ્ચે ફ્લાઇટ્સ દોડાવવામાં આવશે. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે બંને દેશો વચ્ચે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે માત્ર 15 ફ્લાઇટ્સ જ પ્રવાસ કરશે.

fallbacks

આ પણ વાંચો:- NASAની ચેતવણી, નવા વર્ષ પર પૃથ્વીની તરફ આવી રહ્યો છે મોટો એસ્ટરોયડ

નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્ટ્રેનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 7 જાન્યુઆરી 2021 સુધીમાં બ્રિટેન (Britain)ની ફ્લાઇટ્સ પર જવા પર પ્રતિબંધ લંબાવી દીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે બ્રિટનથી ભારત આવતા અને તમામ પ્રકારની ફ્લાઇટ્સના હંગામી સસ્પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More