તેહરાન : ઇરાનનાં રિવોલ્યૂશનરી ગાર્ડ્સે પાકિસ્તાન પર પોતાના સૈનિકો પર થયેલા આત્મઘાતી બોમ્બ હૂમલાના ષડયંત્રકર્તાઓને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. ઇરાનની સરકારી ટીવી પર અપાયેલા નિવેદનમાં આ વાત કરવામાં આવી છે. બુધવારે થયેલા આ હૂમલામાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સનાં 27 સૈનિકોનાં મોત નિપજ્યા હતા.
પાકિસ્તાનની ધ્રુષ્ટતા: રાજોરીમાં LoC નજીક વિસ્ફોટમાં સેનાના મેજર શહીદ
રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ જિહાદી સમુહ જૈશ અલ અદુલની તરફ ઇશારો કરતા કહ્યું કે, પાકિસ્તાન સરકાર જાણે છે કે આ જેહાદી અને ઇસ્લામ માટે ખતરો બનેલા લોકો કહ્યા છે અને તેમને પાકિસ્તાનનાં સુરક્ષા દળોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે.
અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: પાકની લુચ્ચાઇ
તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન સરકારે તેમને દંડિત નહી કરે તો અમે આ જેહાદી સમુહને મુંહતોડ જવાબ આપીશું અને પાકિસ્તાનને તેમનું સમર્થન કરવાનો અંજામ ભોગવવો પડશે. જનરલે આ વાત શુક્રવારે ઇસ્ફહાન શહેરમાં મરાયેલા સૈનિકો માટે આયોજીત શ્રદ્ધાંજલી સભા દરમિયાન કહ્યું. શનિવારે સૈનિકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે