રિયો તાત્સુકીની ભયજનક ભવિષ્યવાણી
કોરોનાએ ફરી એકવાર ભારતમાં દરવાજો ખટખટાવ્યો છે. ઘણાં લોકોને મગજમાં ડર બેસી ગયો છે કે શું હવે ફરી ઘરની ચાર દિવાલો વચ્ચે કેદ રહેવું પડશે? આ દરમિયાન રિયો તાત્સુકીની ભવિષ્યવાણી લોકોને વધુ ડરાવી રહી છે. જાપાનની રિયો તાત્સુકીએ દાયકાઓ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે 2030માં કોવિડ નામક નવો વેરિએંટ આવશે જે પહેલાથી પણ વધારે ઘાતક રહેશે.
રિયો તાત્સુકીની ભવિષ્યવાણી સાચી પડી છે
રિયો તાત્સુકીએ આ પહેલા પણ ઘણી મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી છે. જેમાં માર્ચ 2011માં તોહોકૂ ભૂકંપ અને ત્સુનામી, રાજકુમારી ડાયનાનું મોત, ફ્રેંડી મર્કરીનું નિધન અને કોવિડ-19 મહામારી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે, જે સાચી પડી છે. એટલે જ કોવિડ ફરી આવશે તેની ભવિષ્યવાણીથી લોકોને ચિંતા સતાવી રહી છે. આ તો માત્ર કોવિડ સંબંધિત ભવિષ્યવાણી છે. તે ઉપરાંત ઘણાં ભવિષ્યવક્તાએ ભવિષ્યવાણી કરી છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી રહી છે કે આ બીમારીનો ઈલાજ તો મળી જશે. તે સિવાય એમ પણ કહ્યું છે કે 2025માં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે.
બાબા વેંગા સિવાય અન્ય ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી
નિકોલસ ઔજુલા
લંડન સ્થિત હિપ્નોથેરાપિસ્ટ નિકોલસ ઔજુલાએ ભવિષ્યવાણી કરી હતી કે 2025માં અનેક હિંસક પ્રવૃત્તિઓ થશે. તેમણે વધુમાં કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે અને બ્રિટનમાં મોટા પાયે સંઘર્ષ થવાની આશંકા છે.
નાસ્ત્રેદમસ
તેમણે વર્ષ 1555માં લેસ પ્રોફેટીઝ નામની પુસ્તક લખેલ જેમાં યુરોપના સંઘર્ષ, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે. સાથે તેમણે બ્રિટેનમાં યુદ્ધ થશે તેવી પણ સંભાવના દેખાડી છે.
બાબા વેંગા
બલ્ગેરિયાના નેત્રહીન ભવિષ્યવક્તા બાબા વેંગાએ તો વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરેલ છે. તેમણે 2025માં આર્થિક રુપે અસ્થિરતા, રાજનૈતિક તણાવ અને વૈશ્વિક વેપારને કારણે દુનિયાના મોટા દેશો વચ્ચે યુદ્ધ થશે તેવી ભવિષ્યવાણી કરી છે.
આ સિવાય ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2028માં પૃથ્વી પરના લોકો ઊર્જાના સ્ત્રોત માટે શુક્ર ગ્રહની ખોજ શરુ કરશે. જ્યારે 2033માં દુનિયાભરના સમુદ્રોમાં પાણીનું સ્તર વધી જશે. આ ઉપરાંત એવું પણ કહ્યું છે કે વર્ષ 2076માં વિશ્વમાં સામ્યવાદ ફેલાશે, 2130માં મનુષ્ય એલિયન સાથે પણ સંપર્ક સાધી શકે છે, વર્ષ 3005માં પૃથ્વીના લોકો મંગળ ગ્રહ પર કદમ રાખશે અને 3797માં પૃથ્વી ખાલી કરવી પડશે. બાબા વેંગાની તો ત્યાં સુધીની ભવિષ્યવાણી છે કે વર્ષ 5079માં દુનિયા નષ્ટ થઈ જશે.
હાલ આ દરેક ભવિષ્યવાણીમાં 2025માં થનાર યુદ્ધની સંભાવનાની બાબત વધારે ચર્ચિત બની રહી છે. આ ભવિષ્યવક્તાઓની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પુરવાર થઈ છે. ફરીવાર કોવિડની લહેર આવશે તે વાત સાચી જણાતાં લોકોમાં બીજી ભવિષ્યવાણીઓ અંગે પણ ચર્ચાઓ વધી છે.
ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે