Home> World
Advertisement
Prev
Next

એક સમયે ભારતમાં રહેતા હતા પાકિસ્તાનના આ અબજોપતિ, અંબાણીને આ મામલામાં આપે છે ટક્કર!

મુકેશ અંબાણીની જેમ મંશાને તેમના પરોપકારી કામો માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની મહેનતની મદદથી બિઝનેસની એક વિસ્તૃત શ્રેણી ઉભી કરી છે. મંશા વર્તમાન સમયમાં પાકિસ્તાનના બીજા સૌથી ધનવાન વ્યક્તિ છે.

એક સમયે ભારતમાં રહેતા હતા પાકિસ્તાનના આ અબજોપતિ, અંબાણીને આ મામલામાં આપે છે ટક્કર!

ઈસ્લામાબાદઃ Pakistan Billionaire Mohammad Mansha Networth: દેશની સૌથી ધનિક વ્યક્તિઓની વાત કરીએ તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર આવે છે. જો આપણે વિશ્વના અન્ય અબજોપતિઓની વાત કરીએ તો અહીં પણ અંબાણી અદાણી ટોપ 20માં સામેલ છે. બંને એશિયાના અબજોપતિઓની યાદીમાં ટોપ-2માં છે. પરંતુ આનો મતલબ એવો નથી કે પાડોશી દેશ પાકિસ્તાનના કોઈ વ્યક્તિનું નામ આ યાદીમાં નથી, અહીંના ઉદ્યોગપતિઓ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

fallbacks

આઝાદી બાદ પરિવાર પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયો
રાજકીય ઉથલપાથલ અને આર્થિક સંકટ વચ્ચે પણ પાકિસ્તાનની કેટલીક મહેનતુ પ્રતિભાઓ સામાજિક-રાજકીય પરિદ્રશ્યમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. હા, અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાનના મિયાં મોહમ્મદ મંશાની, તે પોતાની મહેનતના બળે પાકિસ્તાની બિઝનેસમેન માટે રોલ મોડલ બની ગયા. તેમને ઘણીવાર પાકિસ્તાનના મુકેશ અંબાણી કહેવામાં આવે છે. તેમના પૂર્વજો ભારતના છે અને તેમનો જન્મ પણ ભારતમાં થયો હતો. પરંતુ આઝાદી બાદ તેમનો પરિવાર પાકિસ્તાન શિફ્ટ થઈ ગયો.

પરોપકારી કામો માટે ઓળખ
પાકિસ્તાનના મુકેશ અંબાણીના રૂપમાં ઓળખાતા મિયાં મોહમ્મદ મંશા પાકિસ્તાનના પહેલા અબજોપતિ છે. તેમનો જન્મ 1941માં ભારતમાં થયો અને 1947ના વિભાજન દરમિયાન તેમના પરિવારે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો. મુકેશ અંબાણીની જેમ મંશા તેમના પરોપકારી કામો માટે જાણીતા છે. તેઓ મહેનતુ સ્વભાવ અને બિઝનેસની શ્રેણી માટે જાણીતા છે. મંશા વર્તમાન સમયમાં અબજપતિ શાહિદ ખાન બાદ બીજા સૌથી ધનવાન વ્યક્તિ છે.

6900000 રૂપિયાનું દાન કર્યું
મિયાં મોહમ્મદ મંશા પાકિસ્તાન તેના પરોપકારી કાર્યો માટે જાણીતું નામ છે. તેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી પૂર રાહત ફંડમાં 6900000 રૂપિયાનું દાન આપ્યું છે. તેઓ દેશની વિવિધ મોટી સંસ્થાઓના બોર્ડ મેમ્બર પણ છે. અબજોપતિ મનશાને 23 માર્ચ 2004ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા સિતારા-એ-ઈમ્તિયાઝ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનશાનો જન્મ આજના પાકિસ્તાનના સૌથી ધનાઢ્ય પરિવારોમાં થયો હતો.

આ પણ વાંચોઃ માલદીવના રાષ્ટ્રપતિને હવે અચાનક યાદ આવી ભારત સાથેની સદીઓ જૂની મિત્રતા

નિશાક ટેક્સટાઇલ્સનું સામ્રાજ્ય
કોલકાતામાં રહેતા તેમના પિતા કોટન જિનિંગનો વ્યવસાય કરતા હતા. પાકિસ્તાન ગયા પછી તેમના પરિવારે નિશાત ટેક્સટાઈલ મિલ્સ શરૂ કરી. પિતાના અવસાન બાદ નિશાત ટેક્સટાઈલની સમગ્ર જવાબદારી તેમના પર આવી ગઈ. હાલમાં નિશાત ગ્રુપ પાકિસ્તાનમાં સુતરાઉ કપડાંની સૌથી મોટી નિકાસકાર છે. એટલું જ નહીં, આ જૂથ પાકિસ્તાનમાં સૌથી વધુ નોકરીઓ આપનાર જૂથ છે. કોટન બિઝનેસ ઉપરાંત તેમની કંપની પાવર પ્રોજેક્ટ્સ, સિમેન્ટ, ઈન્સ્યોરન્સ બિઝનેસ, બેન્ક અને અન્ય બિઝનેસ સાથે સંકળાયેલી છે.

મુકેશ અંબાણી સાથે આ મામલામાં સમાનતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં મનશાની કુલ પ્રોપર્ટી લગભગ 5 બિલિયન ડોલર છે. સંપત્તિના મામલામાં તેઓ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટાની નજીક ક્યાંય નથી. મિયાં મોહમ્મદ મંશા અને મુકેશ અંબાણી વચ્ચે એક સમાનતા એ છે કે બંને વિદેશી કારના શોખીન છે. મનશા પાસે મર્સિડીઝ ઈ-ક્લાસ, જગુઆર કન્વર્ટિબલ, પોર્શે, BMW 750, રેન્જ રોવર અને ફોક્સવેગન કાર છે. મુકેશ અંબાણીના ગેરેજની સેંકડો કારોમાં આ કારોનો પણ સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More