Agriculture News: લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારોની એક બાદ એક યાદીઓ તૈયાર કરી રહ્યાં છે. આ સ્થિતિમાં આ વખતે ખેડૂતો, મહિલાઓ અને યુવા મતદારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારે ચૂંટણી પહેલાં જ જગતના તાતના હિતમાં ગુજરાત સરકારે લીધો હતો એક મહત્ત્વનો નિર્ણય. તમને ના ખબર હોય તો જાણી લેજો આ તમારા કામની વાત...
હવે નહીં થાય ખેતરમાં ઉભો પાક તહેસનહેસઃ
રાજ્યના ખેડૂતો કાંતો પાણીની અછતને કારણે પરેશાન હોય છે, કાંતો પછી વધુ પડતા વરસાદને પગલે પાક ધોવાઈ જવાને કારણે પરેશાન હોય છે. જોકે, વરસાદ સાવ ન આવવો અને વરસાદ વધુ આવવો આ બન્ને બાબતો કુદરતી છે. જ્યારે આ સિવાય હજુ એક ત્રીજી સૌથી મોટી સમસ્યા જેને કારણે ખેડૂતો પરેશાન હોય છે અને એ છે ખેતરમાં ઘુસીને પાકને તહેસનહેસ કરી નાંખતા પ્રાણીઓ. આ સમસ્યાનું હવે મળી ગયું છે સમાધાન. જાણી લો ગુજરાત સરકારની આ યોજનની માહિતી.
થોડા સમય પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યભરના લાભો ખેડૂતોને તેનો લાભ મળી શકશે. હવે ખેતરોમાં ઉભા પાકને તહેસનહેસ કરતા પ્રાણીઓને અંકુશમાં રાખી શકાશે. હવે આવા પ્રાણીઓથી પાકને બચાવવા પાકનું અને છોડવાઓનું રક્ષણ કરવા માટે ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય. પાક રક્ષણ માટે ખેતર ફરતે તાર ફેનસિંગ બનાવવાની કૃષિ વિભાગની યોજના ના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, ખેતરની ફરતે ફેન્સીંગ કરવાના નિયમોમાં બદલાવ થવાથી ખેડૂતોને મોટો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે જમીન હેકટરની મહત્તમ મર્યાદામા ઘટાડો કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે ખુશખબર. 5 હેકટરના બદલે હવે 2 હેકટર વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઇ શકાશે. પહેલા ઓછા માં ઓછા 5 હેકટર વિસ્તારમા કંટાળા તાર ફેનસિંગ માટેની મજૂરી મળતી હતી. યોજનમા ફેરફાર બાદ હવે મહત્તમ બે હેકટર વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઇ શકાશે. સીમાંત અને નાના ખેડૂતોને ધ્યાને રાખીને યોજનાની હેકટર મર્યાદા ઓછી કરવામાં આવી છે. 350 કરોડ રૂપિયા નવી બાબત તરીકે યોજના માટેની બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે.
કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઇતિહાસ:
ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.
આ યોજનાનો પ્રારંભ ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે કરાયો હતો. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો. જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.
કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ-
ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.
શું છે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે