Home> Agriculture
Advertisement
Prev
Next

અમરેલીના ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનાવાયો, કમોસમી વરસાદે બધુ બરબાદ કર્યું

Gujarat Farmers : અમરેલી જિલ્લામાં વરસાદને લઈને કેરીના પાકને નુકસાન થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ ખૂબ સારું આવ્યું હતું અને ખેડૂતોને આશા હતી કે આ વર્ષે કેરીનો પાક સારો આવશે. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું 

અમરેલીના ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનાવાયો, કમોસમી વરસાદે બધુ બરબાદ કર્યું

Amreli News કેતન બગડા/અમરેલી : હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે અને આજે અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ થયો હતો. આ વરસાદથી ડુંગળીના પાકને ભારે નુકસાન થયું હતું. ડુંગળી પકવતા ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન થઈ ગયા છે.

fallbacks

ખેતરમાં ડુંગળીનો ગુણો એવીને એવી પડી છે. ગઈકાલે કમોસમી વરસાદ આવતા સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. 15 વીઘામાં ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. ખેડૂતોએ મહા મહેનતે ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને ડુંગળીના પાકને નુકશાન થયું છે તે બાબતે આર્થિક સહાય આપે. 

અમે માર્કેટમાં ડુંગળી વેચવા જવાની તૈયારી જ કરી રહ્યા હતા - ખેડૂત
અમરેલીના ખેડૂત હરેશભાઇ બુહા કહે છે કે, મે મહિનામાં કમોસમી વરસાદ ને લઈને ડુંગળી પક્વતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને માર્કેટયાર્ડમાં વહેંચવા જવાની તૈયારી કરતા હતા, ત્યાં જ કમોસમી વરસાદ આવી જતા ડુંગળી વરસાદમાં પલળી ગઈ. ડુંગળી પલળી જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને છે એલર્ટ

અન્ય ખેડૂત રમેશભાઈ કાનાણી કહે છે કે, કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવી લીધો છે. ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ગઈ કાલે વરસાદ આવતા ડુંગળી વરસાદમાં પલળી જતા વ્યાપક નુકશાન થયું છે. અમારી માં છે કે, સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને આર્થિક પેકેજ જાહેર કરે.

કેરી ઉતારવાની સમયે જ વરસાદ આવ્યો 
અમરેલી જિલ્લામાં છેલ્લા છ દિવસથી વરસાદ આવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદ આવતા કેરીના પાકને નુકસાન થયું છે આંબાના ઝાડ ઉપરથી ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કર્યું હતું. પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને પવન સાથે કમોસમી વરસાદ આવતા આંબા ઉપર રહેલી કેરીઓ પવનના લીધે ખરી ગઈ હતી અને આમાંના ઝાડ ઉપર રહેલી કેરીઓ વરસાદના પાણીમાં પલળી ગઈ આથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

ગાંધીનગરના કાવાદાવા : અંબાલાલની આગાહી પર મંત્રીઓની નજર, કયા મંત્રીની ઓફિસની ચા ફેમસ?

સાવરકુંડલા બાઢડા ગામે રહેતા અને 1100 કેરીનો બગીચો ધરાવનાર શાંતિભાઈને આ વર્ષે ખૂબ મોટી આશા હતી. શાંતિભાઈના બગીચામાં ખૂબ મોટા પ્રમાણમાં આંબાના ઝાડ ઉપર કેરી આવી હતી અને તેમને આશા હતી કે આ વર્ષે ગત વર્ષ કરતા પણ સારો ભાવ આવશે. પરંતુ કમોસમી વરસાદે શાંતિભાઈની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. મોટાભાગની કેરીઓ પવનના લીધે ખરી ગઈ છે. આથી શાંતિભાઈને ખુબ મોટી નુકસાની ગઈ છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ સામે શાંતિભાઈ પોતાની વ્યથા રજૂ કરી હતી. અને સરકાર પાસે માંગણી કરી હતી કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું આર્થિક પેકેજ જાહેર કરે.

આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ કમોસમી વરસાદે કેરી પકવતા ખેડૂતોને આશા ઉપર પાણી ફેરવી દીધું છે આ વર્ષે ખેડૂતોને મોટી આશા હતી કે આવનારા દિવસોમાં કેરીનો પાક ખૂબ સારો આવશે અને કેરીના ભાવ પણ સારા મળશે. પરંતુ પવન સાથેના વરસાદને લઈને મોટાભાગની કેરી આંબાના ઝાડ ઉપરથી ખરી ગઈ અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More