Agricultural Land : ઘણા લોકો શહેરથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાનું ઘર બનાવવા માગતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઈની પાસે પોતાની ખેતીની જમીન હોય, તો ત્યાં ઘર બનાવવાનો વિચાર સ્વાભાવિક છે. પરંતુ શું તમે જાણો છો કે સરકારી પરવાનગી વિના ખેતીની જમીન પર ઘર બનાવવું ગેરકાયદેસર છે ? જો તમે પણ આવી જમીન પર બાંધકામ કરવાનું વિચારી રહ્યા છો તો આ લેખમાં અમે તમને ખેતીની જમીન પર ઘર બાંધવા માટેના નિયમો શું છે, તેના વિશે જણાવીશું.
ખેતીલાયક જમીન ઘર બનાવી શકાય ?
ખેતીલાયક જમીન એ છે જેના પર નિયમિતપણે ખેતી કરવામાં આવે છે એટલે કે અનાજ, ફળો, શાકભાજી અથવા ઘાસચારો ઉગાડવામાં આવે છે. ભલે જમીન તમારા નામે હોય, તેનો અર્થ એ નથી કે તમે તેના પર સીધું ઘર બનાવી શકો છો. સરકારે આ અંગે કેટલાક નિયમો નક્કી કર્યા છે જેથી ખેતીની જમીનનો મનસ્વી ઉપયોગ અટકાવી શકાય.
ભારતીયોને મોજે મોજ...હવે વિઝા વગર એક-બે નહીં પણ 59 દેશોમાં ફરી શકશો
કન્વર્ઝન શું છે અને તે શા માટે જરૂરી છે ?
જો તમે ખરેખર ખેતરમાં ઘર બનાવવા માંગતા હો તો સૌ પ્રથમ તમારે જમીનનું 'લેન્ડ યુઝ કન્વર્ઝન' કરાવવું પડશે. એટલે કે કાયદેસર રીતે ખેતીની જમીનને રહેણાંક જમીનમાં રૂપાંતરિત કરવી. આ માટે તમારે તમારા રાજ્યના સંબંધિત ઓથોરિટી જેમ કે નગર પરિષદ અથવા ગ્રામ પંચાયત પાસેથી પરવાનગી (NOC) લેવી પડશે. ઉપરાંત એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે.
કન્વર્ઝન માટે કયા દસ્તાવેજો જરૂરી છે ?
જો પરવાનગી વિના ઘર બનાવવામાં આવે તો શું થાય ?
જો તમે પરવાનગી વિના ખેતીની જમીન પર ઘર બનાવશો, તો તે ગેરકાયદેસર ગણવામાં આવશે. તમારે માત્ર દંડ ભરવો પડશે જ નહીં, પરંતુ વહીવટતંત્ર તમારા ઘરને તોડી પાડવાનો આદેશ પણ આપી શકે છે. ઉપરાંત, જો તમે આવી જમીન કોઈ એવી વ્યક્તિ પાસેથી ખરીદી છે જે તેને પ્લોટ કરીને વેચી રહી છે, તો તમારા પૈસા પણ પાણીમાં જઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે