Agriculture News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે એક પ્રગતિશીલ ખેડૂત તેમની 200 વિદ્યાની જમીનમાંથી 50 વિઘા જમીનમાં કાળા ઘઉંની અનોખી ખેતી કરી રહ્યા છે. આ કાળા ઘઉંનાં લોટની રોટલી કે ભાખરી બનાવવી રોજિંદા ભોજનમાં લેવાથી અનેક ફાયદા શરીરમાં થાય છે. અત્યારે ઘઉંનો ભાવ 120 રૂપિયા કિલો બજારમાં મળી રહ્યો છે
જામનગર જિલ્લામાં આવેલ લાલપુરના મોડપર ગામે કિશન. ચંદ્રાવાડીયા નામના ખેડૂત 50 વીઘાની જમીનમાં કાળા ઘઉંની ખેતી શરૂ હતી. આ કાળા ઘઉંની ખેતી ઓછા ખેડૂતો જ કરી રહ્યા છે. કેમ કે, આ કાળા ઘઉંનાં લોટ રોજિંદા રોટલી કે ભાખરી બનાવીને જમવામાં લેવામાં આવે તો મનુષ્યના શરીર માટે બહુ જ ગુણકારી છે અને આ કાળા ઘઉંની ખેતી પાછળ રાબેતા મુજબના ઘઉંની ખેતી કરવા જેટલો જ ખર્ચ થાય છે
જામનગરના પ્રગતિશીલ ખેડૂત કિશનભાઇ છેલ્લા 4 વર્ષથી આ ખેતી કરે છે અને વર્ષ દરમિયાન 10 થી 12 ટન કાળા ઘઉંનું ઉત્પાદન કરી રહ્યા છે અને 3 થી 4 મહિનામાં પાક થઈ જાય છે. આ કાળા ઘઉંની ખેતી સૌ પ્રથમ જાપાનમાં શરૂ થઇ હતી અને બાદમાં પંજાબમાં આવી હતી. બાદમાં પંજાબમાં બહુ જ ઓછા ખેડૂત કરી રહ્યા છે અને ત્યારબાદ ભારતના જુદા-જુદા ગામડાઓ આ ખેતી શરૂ કરાઇ હતી.
Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ
સામાન્ય રીતે બજારમાં લાલ અને સોનેરી કલરના ઘઉં જોવા મળતા હોય છે કાળા ઘઉં બહુ જ ઓછા લોકોએ જોયા હશે અને તેને દળાવીને રોટલી કે ભાખરી ભોજનમાં લેવાથી અનેક ફાયદાઓ થાય છે. કાળા ઘઉંમાં આયર્ન, ઝિંકનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. જેનાથી ડાયાબિટિસ, કોલેસ્ટોલ, હ્રદયની જે લોકોને તકલીફ હોય તેને આ ઘઉંની રોટલી કે ભાખરી દરરોજ નિયમિત ભોજનમાં લેવાથી ફાયદા મળે છે તેવું આ ખેડૂત દ્વારા જણાવાયું છે
જામનગરના ખેડૂત કિશનભાઇએ આ મામલે જણાવ્યું હતું કે કાળા ઘઉંની ખેતી હું છેલ્લા ચાર વર્ષથી કરૂ છું અને જામનગર સહિતના શહેરોમાં ઓનલાઇન સપ્લાય કરું છું, કેમ કે, કાળા ઘઉં બહુ જ ઓછા લોકોને ખબર છે કે અને તેના ફાયદા શું છે તે હજુ લોકો જાણતા નથી જે લોકો જાણે છે તે ઓનલાઇન ઓર્ડર આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને વેસ્ટ બેંગ્લોર, તેલંગા, એમપી, યુપી. બાજુ બહુ જ ડિમાન્ડ છે
કાળા ઘઉંના ફાયદા
કાળા ઘઉં હાર્ટ, કેન્સર, ડાયાબિટીસ, મેદસ્વીતા સહિત ઘણી બીજી બિમારીઓના ખતરાને ઓછી કરે ચે. આ એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે. કોઇ સામાન્ય ઘઉંના મુકાબલે જિંકની માત્રા પણ વધુ મળી આવે છે. તેના સેવનથી શરીરની ઇમ્યૂનિટીમાં જોરદાર વધારો જોવા મળે છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કાળા ઘઉંમાં ઉપલબ્ધ ઔષધિય ગુણ ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ સાથે જ એમીનિયા અથવા રક્તાલપતાને ખતમ કરે છે.
ખેતીનો ખર્ચ પણ ઓછો હોય છે
તેના ફાયદાને જોતા તેને 'ખેડૂતોનું કાળુ સોનું' કહેવામાં આવે છે. બજારમાં તેની કિંમત કોઇ સામાન્ય ઘઉંના મુકાબલે ત્રણથી ચાર ગણી વધારે હોય છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કાળા ઘઉંની ખેતી કરવામાં આવે છે. તેની ખેતીનો ખર્ચ પણ ખૂબ ઓછો હોય છે. આ ઘઉની ખેતી કરનાર ખેડૂતો ઓછા ખર્ચમાં વધુ નફો કમાઇ શકે છે.
વકફ બોર્ડને કારણે ગુજરાત ભાજપમાં પડી વિકેટ, આ નેતાએ પક્ષને આપ્યું રાજીનામું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે