Home Hacks: વરસાદની ઋતુ ભેજવાળી હોય છે. આ ઋતુમાં ઘરમાં વિવિધ પ્રકારના જંતુઓ ફરવા લાગે છે. આમાંથી કેટલાક જંતુઓ ઘૂસીને ફરતા હોય છે અને કેટલાક ઉડતા હોય છે. આ જંતુઓ ઘરની અલગ અલગ જગ્યાએ છુપાઈને વરસાદ પછીના 2-3 દિવસ સુધી ઘરમાં રહે છે. આવી સ્થિતિમાં, સમયસર આ જંતુઓનો નાશ કરવો મહત્વપૂર્ણ છે. અહીં જાણો કે આ જંતુઓને કેવી રીતે ભગાડી શકાય. અહીં ઘરે બનાવેલ સ્પ્રે બનાવવાની એક પદ્ધતિ છે જેનો ઉપયોગ જંતુઓ પર છાંટવાથી તેઓ ભાગી જાય છે. આ સ્પ્રે ઘરમાં ફરતી કીડીઓ, માખીઓ અને વંદોને દૂર કરવામાં પણ સારી અસર દર્શાવે છે.
વરસાદી જંતુઓ ભગાડવા માટે હોમમેડ સ્પ્રે । Homemade Spray For Rainy Insects
વરસાદી જંતુઓને ભગાડવા માટે સ્પ્રે ઘરે બનાવી શકાય છે. આ સ્પ્રેને બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો. આ પાણીમાં લવિંગ નાખો. જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય તો તેમાં એક ચમચી બેકિંગ સોડા (Baking Soda) નાખો. હવે આ મિશ્રણ ઠંડુ થાય પછી એક સ્પ્રે બોટલમાં ભરી લો. આ સ્પ્રીને જંતુઓ પર છાંટવાથી તે ભાગવા લાગશે. ઘણા જંતુઓ મરી પણ જશે.
આ પણ વાંચોઃ 3 વર્ષમાં 1 લાખના બનાવ્યા ₹36 લાખ, 5 વર્ષમાં 85 લાખ, આ શેર બન્યો કુબેરનો ખજાનો
આ નુસ્ખા પણ આવશે કામ
જંતુઓને ભગાડવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. વિનેગરની ગંધથી જંતુઓ ભાગી જાય છે. વિનેગરને સ્પ્રે બોટલમાં ભરી જંતુઓ પર છાંટો કે વિનેગર વાળા પાણીથી પોતા કરો. આમ કરવાથી જમીન પર રહેલા જંતુઓ ભાગી જાય છે.
નમક પણ એક સારો ઘરેલું નુસ્ખો સાબિત થાય છે. જંતુઓને મારવા માટે તેના પર નમક કે પછી નમકવાળું પાણી છાટી શકાય છે. તેનાથી જંતુઓ મરવા લાગે છે.
જંતુઓ માટે લુંબીનો રસ ઘાતક સાબિત થાય છે. તેવામાં લીંબુનો રસ જંતુઓ પર છાંટી દો અથવા પાણીમાં લીંબુનો રસ નાખી જંતુઓ પર નાખો.
લસણ પણ જંતુઓ ભગાડવા માટે ઉપયોગી છે. લસણને પાણીમાં મિક્સ કરી જંતુઓ પર છાંટો.
ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે