Indigo Flight: ગુરુવારે રાત્રે ગુવાહાટીથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6764 (A321) ને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનમાં 168 મુસાફરો સવાર હતા. ઇંધણના અભાવે પાયલોટે 'મેડે' (Mayday) નામ આપ્યું હતું, ત્યારબાદ આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ ગુવાહાટીથી સાંજે 4:40 વાગ્યે ઉડાન ભરી હતી અને 7:45 વાગ્યે ચેન્નાઈમાં લેન્ડિંગ કરવાની તૈયારી કરી રહી હતી.
IND vs ENG : શુભમન ગિલનું વધ્યું ટેન્શન...ICCનો આ નિયમ તોડવા બદલ મળી શકે છે સજા !
લેન્ડિંગ દરમિયાન પ્લેનનું લેન્ડિંગ ગિયર રન-વેને સ્પર્શી ગયું હતું, પરંતુ પાયલોટે 'બોલ્કડ લેન્ડિંગ' પ્રક્રિયા હેઠળ 'ગો અરાઉન્ડ' નો નિર્ણય લીધો અને ફરીથી લેન્ડિંગ કર્યું નહીં. પછી પ્લેનને ડાયવર્ટ કરીને બેંગલુરુ મોકલવામાં આવ્યું હતું.
પાયલોટે 'મેડે' કોલ કર્યો
બેંગલુરુ એરપોર્ટથી લગભગ 35 માઇલ દૂર પાયલોટે 'મેડે' કોલ કર્યો હતો, જેનાથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ચેતવણી મળી હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ અને ફાયર સર્વિસ ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી. રાત્રે 8:20 વાગ્યે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. એક મુસાફરે જણાવ્યું હતું કે વિમાન અચાનક ઉંચુ થવાને કારણે ઘણા લોકો ડરી ગયા હતા.
10 ગ્રામ સોના પર કેટલી મળશે લોન ? RBIએ ગોલ્ડ લોનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
દરમિયાન એક સૂત્રએ જણાવ્યું હતું કે 'ગો અરાઉન્ડ' પછી ફરજિયાત લઘુત્તમ ડાયવર્ઝન ફ્યુઅલ પણ વિમાનમાં હાજર નહોતું. આનો અર્થ એ થયો કે કટોકટીની સ્થિતિમાં વિમાનને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ઉતારવા માટે જરૂરી ઇંધણનો પણ અભાવ હતો. જોકે ઇન્ડિગો એરલાઇન્સે પુષ્ટિ કરી નથી કે પાઇલટે 'મેડે' કોલ કર્યો હતો.
ઇન્ડિગોએ કર્યો આ દાવો
ઇન્ડિગોનું કહેવું છે કે ચેન્નાઇ એરપોર્ટ પર ટ્રાફિકને કારણે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ ચેન્નાઇ એટીસીએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તે સમયે એરપોર્ટ પર કોઈ ટ્રાફિક નહોતો. આ ઘટના પછી, બંને પાઇલટ્સને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે.
Rajkot: રાજકોટના ટોપ-10 ધનાઢ્ય વ્યક્તિઓ, આ લોકો પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ
જોકે, ઇન્ડિગોએ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બેંગલુરુમાં ઉતરાણ કર્યા પછી, ક્રૂએ જાહેરાત કરી હતી કે વિમાન રિફ્યુઅલિંગ પછી ચેન્નાઇ જવા રવાના થશે. બીજા પાઇલટ્સની ટીમે રાત્રે 11:25 વાગ્યે ચેન્નાઇમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. બધા મુસાફરો સુરક્ષિત છે અને વિમાનને કોઈ નુકસાન થયું નથી. જોકે આ ઘટના ઉડ્ડયન સલામતી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે