7th pay commission news: જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે. હકીકતમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના (CGHS) કાર્ડ જારી કરવાના સંબંધમાં એક નવો નિર્દેશ જાહેર કર્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જે કર્મચારીઓના માસિક પગારમાં કપાતથી CGHS માં યોગદાન સામેલ છે, તે ઓટોમેટિક CGHS સર્વિસ કાર્ડ પ્રાપ્ત કરવા માટે હકદાર છે. આ ત્યારે પણ લાગૂ થાય છે જ્યારે તેણે કાર્ટ માટે અરજી કરી નથી. આ નિર્ણયનો ઉદ્દેશ્ય તે નક્કી કરવાનો છે કે અરજી ન કરવાને કારણે કર્મચારીઓને અયોગ્ય રીતે સ્વાસ્થ્ય લાભથી વંચિત ન રાખવામાં આવે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
હકીકતમાં ઘણા કેન્દ્રીય કર્મચારીઓ યોગદાન કરવા છતાં CGHS કાર્ડ માટે અરજી કરવામાં નિષ્ફળ રહ્યાં છે. મંત્રાલયે આ પરિસ્થિતિમાં CGHS સુવિધાઓ સુધી પહોંચને રોકવાનું અયોગ્ય માન્યું છે. CGHS કાર્ડને ઓટોમેટિક જારી કરવાનો ઉદ્દેશ્ય આ સ્થિતિને સુધારવાનો છે. તે નક્કી કરવાનો છે કે કોઈપણ યોગદાન આપનાર કર્મચારી લાભથી વંચિત ન રહે, જેના તે હકદાર છે. મહત્વનું છે કે CGHS એક ફરજીયાત સ્વાસ્થ્ય યોજના છે અને જે કર્મચારીઓનું આવાસીય ક્ષેત્ર CGHS ડિસ્પેન્સરી ક્ષેત્રમાં આવે છે, તેના માટે કપાત ઓટોમેટિક શરૂ થઈ જાય છે. આ કર્મચારીઓ માટે CGHS કાર્ડ માટે અલગથી અરજી કરવી જરૂરી છે.
આ પણ વાંચોઃ શું છે 'એક રાજ્ય, એક RRB' યોજના? 1 મેથી બનવા જઈ રહી છે હકીકત; બેન્કો પર શું થશે અસર
મંત્રાલય પ્રમાણે જો સરકારી કર્મચારીના માસિક વેતનથી CGHS ભાગીદારી ફરજીયાત કાપવામાં આવી રહી છે તો તે આધાર પર CGHS સુવિધાનો લાભ આપવાની ના પાડવી અયોગ્ય છે કે તેણે કાર્ડ પ્રાપ્ત કરવા માટે અરજી કરી નથી. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે વહીવટી શાખાઓને તે ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો છે કે સંબંધિત કર્મચારીઓને CGHS કાર્ડ ઓટોમેટિક જારી કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે