Home> Business
Advertisement
Prev
Next

Indian Railways: ગાઢ નિંદ્રામાં પણ સ્ટેશન નહીં છૂટે, રેલ્વેની નવી સુવિધાથી મુસાફરોની બલ્લે બલ્લે

IRCTC: નવી રેલવે સેવા શરૂ થયા બાદ મુસાફરો રાત્રે ટ્રેનમાં શાંતિથી સૂઈ શકશે. ઊંઘ દરમિયાન તમારે જે સ્ટેશન પર ઉતરવાનું હોય તે સ્ટેશન જતું રહેવાની ચિંતા રહેશે નહીં.

Indian Railways: ગાઢ નિંદ્રામાં પણ સ્ટેશન નહીં છૂટે, રેલ્વેની નવી સુવિધાથી મુસાફરોની બલ્લે બલ્લે

Destination Alert Alarm Service:  જો તમને પણ ટ્રેનમાં રાતની મુસાફરી પસંદ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રાત્રિના પ્રવાસ દરમિયાન મુસાફરો ઘણીવાર ગાઢ ઊંઘ લે છે. ઊંઘના કારણે તેમનું ડેસ્ટિનેશન સ્ટેશન જતું જવાનો ભય રહે છે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો હવે રેલવેએ એક નવી સુવિધા શરૂ કરી છે. નવી સુવિધાની રજૂઆત પછી તમે ક્યારેય તમારું સ્ટેશન ચૂકશો નહીં. રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

fallbacks

એક યુવતી સાથે 4 વ્યક્તિઓ માણી રહ્યા હતા સેક્સ, નિર્દોષને રંગરેલિયા જોવા ભારે પડયા!

મુસાફરને 20 મિનિટ વહેલા ઉઠાડવામાં આવશે
આ પહેલાં પણ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્ટેશનો પર વાઈ-ફાઈ, એસ્કેલેટર સહિતની તમામ સુવિધાઓ શરૂ કરી છે. નવી રેલવે સેવા શરૂ થયા બાદ મુસાફરો રાત્રે ટ્રેનમાં શાંતિથી સૂઈ શકશે. ઊંઘ દરમિયાન તમારે જે સ્ટેશન પર ઉતરવાનું હોય તે સ્ટેશન જતું રહેવાની ચિંતા રહેશે નહીં. રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધામાં તમે સ્ટેશન પર પહોંચવાના 20 મિનિટ પહેલાં જ જાગી જશો.

પરણિત મહિલા સાથે પ્રેમીએ માણ્યું શરીરસુખ,લાગણી વશ લાખોનો વહીવટ, પછી શરૂ થયો અસલી ખેલ

કારણે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ સેવાનું નામ છે 'ડેસ્ટિનેશન એલર્ટ વેક અપ એલાર્મ' (destination alert wake up alarm) . વાસ્તવમાં, ઘણી વખત રેલવે બોર્ડને ટ્રેનમાં સૂઈ રહેલા લોકો વિશે માહિતી મળી છે. આટલું જ નહીં આ કારણે તેઓ સ્ટેશન પણ ચૂકી જાય છે. હવે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે રેલવેએ આ સુવિધા શરૂ કરી છે. રેલવેએ આ સેવા 139 નંબરની પૂછપરછ સેવા પર શરૂ કરી છે.

IDBI બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર બનવાનો ગોલ્ડન ચાન્સ, પગાર મળશે અધધ...

આ સમયે આ સુવિધા ઉપલબ્ધ થશે
આ સેવા હેઠળ મુસાફરી કરનારા મુસાફરો 139 નંબરની પૂછપરછ સિસ્ટમ પર એલર્ટની સુવિધા માટે પૂછી શકે છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ આ સુવિધાનો લાભ લઈ શકશે. તેનો ફાયદો એ થશે કે આ સેવા લેવા પર તમને સ્ટેશન આવવાના 20 મિનિટ પહેલા જ ઉઠાડવામાં આવશે. આ માટે તમારે માત્ર રૂ.3 ચૂકવવાના રહેશે. આ સેવા લેવા પર સ્ટેશન પર તમારા આગમનની 20 મિનિટ પહેલાં તમારા ફોન પર એલર્ટ મોકલવામાં આવશે.

IND vs AUS: રોમાંચક બની દિલ્હી ટેસ્ટ, બીજા દિવસની રમત પૂરી, ઓસ્ટ્રેલિયા 62 રનથી આગળ

તમે આ સેવા કેવી રીતે મેળવી શકો
'ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ' શરૂ કરવા માટે, તમારે IRCTC હેલ્પલાઇન 139 પર કૉલ કરવો પડશે. ભાષા પસંદ કર્યા પછી, તમારે ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલા નંબર 7 અને પછી નંબર 2 દબાવવાનું રહેશે. હવે પૂછવામાં આવે ત્યારે તમારો 10 અંકનો PNR દાખલ કરો. તેની પુષ્ટિ કરવા માટે 1 ડાયલ કરો. આમ કરવાથી તમને સ્ટેશનના આગમનની 20 મિનિટ પહેલા વેકઅપ એલર્ટ મળશે.

સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત',ધારાસભ્ય પણ આરતી ઉતારી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More