Home> Business
Advertisement
Prev
Next

Israel Iran War : ઈરાન-ઈઝરાયેલનું યુદ્ધ વધ્યું તો ગુજરાતના આ ઉદ્યોગોને થશે કરોડોનું નુકસાન

Israel Iran War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો આઠમો દિવસ... ઈઝરાયલે ઈરાનના ખોંડૂબ અરક પરમાણુ રિએકટર પર કર્યો હુમલો,, ઈરાને પણ આપ્યો વળતો જવાબ... પરંતું આ યુદ્ધની સીધી અસર ગુજરાતના ઉદ્યોગોને થઈ શકે છે 
 

Israel Iran War : ઈરાન-ઈઝરાયેલનું યુદ્ધ વધ્યું તો ગુજરાતના આ ઉદ્યોગોને થશે કરોડોનું નુકસાન

Iran Israel News : ઈરાન-ઈઝરાયલ વચ્ચેનાં યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈરાન ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું છે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાને ભયાનક વળતો જવાબ આપ્યો છે. સેકન્ડો બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન હુમલાથી ભારે તબાહી મચાવી. દિવસે દિવસે બંને દેશો વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. ઇરાન - ઈઝરાયેલ યુદ્ધના પગલે ગુજરાતના ઉદ્યોગોમાં ચિંતા વ્યાપી છે. 

fallbacks

ગુજરાતના અનેક દેશો સાથે સીધા વ્યવસાયિક સંબંધો છે. અગાઉ રશિયા યુક્રેન યુદ્ધની ગુજરાતના અનેક ઉદ્યોગોને અસર પડી છે. ત્યારે હવે એ જ સ્થિતિ ફરી પેદા થઈ છે. ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધની અસર પણ ગુજરાતના ઉદ્યોગો પર પડી શકે છે. 

કયા કયા ઉદ્યોગોને અસર થશે
ઈરાન ઈઝરાયેલ યુદ્ધથી ક્રૂડના ભાવમાં વધારો થતાં ઉદ્યોગો પર આર્થિક અસર પડશે. જેમ કે, પેટ્રોકેમ, ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક, કેમિકલ, પેઈન્ટ ઉદ્યોગ સામે નવા પડકાર આવી શકે છે. ભારતનું અર્થતંત્ર ઓઇલની આયાત ઉપર આધારીત છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધ તીવ્ર બને તો આગામી દિવસમાં ક્રુડના ભાવમાં જંગી વધારો થાય તેવી શકયતા છે.જે ઉત્પાદન ખર્ચને અસર કરશે.

વાત કરીએ તો, આ યુદ્ધને કારણે ભારતમાં ઓઈલ અને ગેસના પુરવઠાને અસર પડી શકે છે. કારણ કે, ભારતમાં 40 ટકા ઓઈલ-ગેસ હોમુંઝના અખાતના દરિયાઈ માર્ગેથી આવે છે. આ યુદ્ધને પગલે આ રુટ પર અસર પડી શકે છે. 

આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલમાં સીધો 80 રૂપિયાનો વધારો

આ ઉપરાંત ક્રુડના ભાવ વધ્યા તો એકસાથે અનેક ઉદ્યોગ ઝપટે ચઢશે. ગુજરાતના પેઈન્ટ ઉદ્યોગોને અસર કરી શકે છે. કારણ કે, પેઈન્ટ ઉદ્યોગ માટે સોલવન્ટ અને રેઝિન્સ બહુ જ જરૂરી છે. ક્રુડના ભાવ વધશે તો સોલવન્ટ અને રેઝિન્સ પણ મોંઘા થશે. 

તો આ ઉપરાંત ઓટોમોબાઈલ સેક્ટરને પણ અસર થઈ શકે છે. ઓટોમોબાઇલ ઉત્પાદકો પણ હાલ પ્લાસ્ટિક, રબર અને પેટ્રોલિયમ આધારિત ચીજોની કિંમતમાં તોળાઈ રહેલા ભાવ વધારાની ગણતરી કરી રહ્યા છે.

રશિયામાં પણ મંદીના ભણકારા વાગ્યા 
યુક્રેન સામે યુદ્ધના કારણે રશિયામાં ભયંકર મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે. રશિયામાં આમ જનતાનું જીવન મોંઘવારી વચ્ચે મુશ્કેલ બની ગયું છે. રશિયામાં ડુંગળી અને બટાટાંના ભાવ પણ અઢી ગણા વધી ગયા છે. સેન્ટ પીટસબર્ગમાં આયોજિત ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં રશિયાના ઈકોનોમી મંત્રીએ કહ્યું કે રશિયા મંદીના આરે આવીને ઊભું છે. મંત્રી મેક્સિમ રેશેત્નિકોવે દુનિયાના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓની હાજરીમાં સ્વીકાર્યું છે કે રશિયા મહામંદીમાં સપડાઈ રહ્યું છે. યુક્રેન સામે છેલ્લાં 3 વર્ષથી યુદ્ધ લડવાના કારણે પુતિનના દેશમાં આર્થિક ગતિવિધિઓ ધીમી પડી ગઈ છે. એટલું જ નહીં, રશિયામાં અત્યારે 20 ટકા વ્યાજદર ચાલી રહ્યો છે. આ વ્યાજદર ઘટાડેલો વ્યાજદર છે. કેમ કે, થોડા સમય પહેલાં આ વ્યાજદર 21 ટકા હતો. આટલા ઊંચા વ્યાજદરના કારણે રશિયાના લોકો લોન લેવાથી ડરી રહ્યા છે. જેના કારણે રશિયામાં આર્થિક ગતિવિધિઓ ઘટી ગઈ છે. 

રશિયાનો મોંઘવારી દર 9.8 ટકા
આ ઉપરાંત રશિયામાં મંદી આવવાનું બીજું એક કારણ છે પશ્ચિમના દેશોએ લગાવેલા આર્થિક પ્રતિબંધો. યુક્રેન સામે યુદ્ધ લડવાના કારણે અમેરિકા, બ્રિટન સહિતના દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જેના કારણે રશિયાનું અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે રશિયાનો મોંઘવારી દર 9.8 ટકા પર પહોંચી ગયો છે. 

આ મંદી અનેક દેશોને મહામંદીમાં ધકેલી શકે છે 
એટલે કે 100 રૂપિયાનું મૂલ્ય ઘટીને 91 રૂપિયા થઈ ગયું છે. રશિયા મંદી તરફ આગળ વધી રહ્યું છે તેનું બીજું એક કારણે છે યુક્રેન સામેના યુદ્ધના કારણે તેના કુલ બજેટની રકમનો મોટો હિસ્સો રક્ષા બજેટ પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે. 41 ટકા બજેટ સંરક્ષણ પાછળ ખર્ચ કરી રહ્યું છે રશિયા. ત્રીજો ઝટકો વાગ્યો છે રશિયાને તેના વિકાસદરથી. રશિયાનો વિકાસદર 4.3 ટકાથી ઘટીને અત્યારે 0.8 ટકા પર આવી ગયો છે. એટલે કે સંપૂર્ણ આર્થિક ગતિવિધિઓ ધીમી પડી ગઈ છે. જેના કારણે રશિયા મંદી તરફ આગળ વધી રહ્યું છે. તેની આ મંદી દુનિયાના અનેક દેશોને મહામંદીમાં ધકેલી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More