Helicopter and Plane Crash: તાજેતરમાં આપણે અમદાવાદ પ્લેન ક્રેશ અને કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ જેવી ભયાનક દુર્ઘટનાને જોઈ. આ બંને દુર્ઘટના એટલી ભીષણ હતી કે તે વિમાન અને હેલિકોપ્ટર બંનેમાં સવાર દરેક લોકોના મૃત્યુ થયા. જાણીએ કે પ્લેન ક્રેશ અને હેલિકોપ્ટર ક્રેશ વચ્ચે શું અંતર હોય છે.
વિમાનની સિસ્ટમ કંઈ રીતે કામ કરે છે?
વિમાન તેની બંને પાંખો વડે ઉડે છે. તે સીધું ઉપર જવાને બદલે પહેલા આગળની તરફ ઉડે છે. પ્લેનના બંને પાંખિયામાં વિંગ ફ્લેપ્સ લગાવેલ હોય છે જેને પાયલટ કંટ્રોલ કરતો હોય છે. જો કોઈપણ કારણોસર વિમાનનું એન્જિન બંધ થઈ જાય અને તે લેન્ડ ન થાય ત્યાં સુધી હવામાં ઉડતું રહે છે. જ્યારે હેલિકોપ્ટર સીધું નીચે પડે છે. આવી સ્થિતિમાં વિમાન આગળની તરફ આવીને નીચે લેન્ડ થાય છે. જો ક્યારેય પણ આ પ્રકારની સમસ્યા આવે તો પ્લેનને આપાતકાલીન સ્થિતિમાં લેન્ડ કરવું પડે છે. જેને પાયલટ કંટ્રોલ કરે છે.
વિમાન અને હેલિકોપ્ટર ક્રેશ થયાની સ્થિતિ
વિમાનમાં રહેલ કોઈ વ્યક્તિ જો ક્રેશ પહેલા જ કૂદી જાય છે તો તે ઈજાગ્રસ્ત થાય છે પણ તેનો જીવ બચી જાય છે કેમકે જો પ્લેનમાંથી બહાર ન નીકળી શકે તો આગમાં બળીને મોત થાય છે. જ્યારે હેલિકોપ્ટરમાં આ રીતે કૂદવાનો સમય રહેતો નથી.
હેલિકોપ્ટર કેવી રીતે ઉડે છે?
વાત કરીએ માત્ર હેલિકોપ્ટરની તો તે તેના પંખોની મદદથી ઉડે છે. જ્યારે પાંખો નીચેની તરફ હવા ફેંકે છે ત્યારે હેલિકોપ્ટર ઉપરની તરફ ઉડે છે. ખતરારુપ પરિસ્થિતિમાં હેલિકોપ્ટરમાં સવાર લોકોને પેરાશૂટની મદદથી નીચે આવવાનું રહે છે. જો હેલિકોપ્ટરની પાંખોમાં કોઈ તકનીકી ખરાબી આવે અથવા પક્ષી ટકરાય જાય તો ક્રેશ થવાની સંભાવના રહે છે.
હેલિકોપ્ટર ક્રેશ થાય તો તે સીધું નીચે પડે છે, હવામાં રહેવાનો સમય રહેતો નથી
હેલિકોપ્ટર તરત જ સીધું ઉપરની બાજુ ઉડે છે અને સીધું નીચે ઉતરે છે. આ બંને વખતે તેની સિસ્ટમ પ્લેનથી અલગ હોય છે. તેવામાં જો હેલિકોપ્ટરના પાંખિયામાં કંઈ ખામી સર્જાય તો હેલિકોપ્ટર નીચે પડે છે અને ક્રેશ થાય છે. આવા કિસ્સામાં અંદર રહેલ લોકોને સમય રહેતો નથી અને ક્રેશ થતા દબાય જાય છે. જેના કારણે લોકો આગની લપેટોમાં મૃત્યુ પામે છે.
ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે