નવી દિલ્હીઃ LIC Merger News: દેશમાં ચાલી રહેલા ખાનગીકરણ અને વિલીનીકરણ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે દેશની ચાર સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને LICમાં વિલય થઈ શકે છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ, ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ, ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે. વ્યાપાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે તેને વીમા નિયમનકારી અને વિકાસ સત્તાધિકાર (IRDA) એક્ટ 1999 અને ઈન્સ્યોરન્સ એક્ટ 1938 હેઠળ સુધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
સૂચિત સુધારામાં શું કહેવાયું છે?
સૂચિત સુધારાઓ જણાવે છે કે દેશમાં જીવન અને બિન-જીવન વીમા પૉલિસીઓ વેચવા માટે માત્ર એક જ માન્ય કંપની હોવી જોઈએ, જે વીમા નિયમનકારને જરૂરી લઘુત્તમ મૂડી નિર્ધારિત કરીને વૈધાનિક મર્યાદાને દૂર કરવામાં મદદ કરશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે અન્ય કૃષિ વીમા કંપનીને તેની સાથે મર્જ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ Income Tax Alert: 31મી ડિસેમ્બર પહેલાં ITR ના ભર્યું તો થશે આ નુકસાન, ઉતાવળ કરજો
હકીકતમાં, આ વિષય પર માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ જાહેરાત કરી હતી કે વ્યૂહાત્મક ક્ષેત્રોના કિસ્સામાં માત્ર ચાર કંપનીઓ જ સરકાર હોઈ શકે છે. એટલે કે, આ રીતે સરકાર તેની ચાર નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓને LIC સાથે મર્જ કરી શકે છે. બીજી તરફ આ કંપનીઓના કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ કંપનીઓને એલઆઈસીમાં મર્જ કરવામાં આવે.
LIC કમાન્ડ ખાનગી હાથમાં
બીજી તરફ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખાનગી ક્ષેત્રના લોકોને LICમાં ચેરમેન બનવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, 66 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે LICનું નિયંત્રણ ખાનગી ચેરમેનના હાથમાં ગયું હોય. અત્યાર સુધીના નિયમ મુજબ કંપનીના એમડીને જ તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે