LICની જીવન ઉત્સવ સ્કીમમાં તમે 5 વર્ષથી 16 વર્ષ સુધી પૈસા ભરી શકો છો. એલઆઈસીની આ પોલિસી તમારા નિવૃત્તિના સમયે મેચ્યોર થાય છે. આ પ્લાનમાં કેટલું ગેરેન્ટેડ રિટર્ન મળશે, તે માત્ર એ વાત પર નિર્ભર કરશે કે તમે પ્લાનમાં કેટલા સમય માટે રોકાણ કર્યું છે. આ સ્કીમ હેઠળ ઈન્વેસ્ટરોને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનો સમય એશ્યોર્ડ મળશે. એલઆઈસી જીવન ઉત્સવ પ્લાનમાં 8 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની ઉંમરના લોકો રોકાણ કરી શકે છે.
ટર્મ ઈન્શ્યોરન્સનો મળી રહ્યો છે લાભ
LIC જીવન ઉત્સવ યોજનામાં રોકાણ કરીને, ગ્રાહકોને ટર્મ અને લાઇફ ઇન્શ્યોરન્સ બંનેનો લાભ મળે છે. તેથી, ટર્મ ઇન્શ્યોરન્સની જેમ, આ યોજનામાં તમને ફક્ત એક નિશ્ચિત સમયગાળા માટે જ નહીં પરંતુ સમગ્ર જીવન માટે કવરેજનો લાભ મળી રહ્યો છે. એટલા માટે તે આજીવન રિટર્ન ગેરંટીવાળી યોજના છે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને બખ્ખા, 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે આઠમું પગાર પંચ! જાણો
જીવન ઉત્સવ પોલિસીમાં વ્યાજદર
કવર શરૂ થયા બાદ પોલિસી હોલ્ડર્સને બે પ્રકારના વિકલ્પ મળે છે. જેમાં કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. પ્રથમ વિકલ્પ નિયમિત આવક લાભ અને બીજો વિકલ્પ ફ્લેક્સી આવક લાભ છે. તેમાં ઈન્વેસ્ટરને 5.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ વિલંબિત અને સંચિત ફ્લેક્સી આવક લાભો પર ચૂકવવામાં આવશે. જો પોલિસી ધારક પોલિસી પરિપક્વ થાય તે પહેલાં મૃત્યુ પામે છે, તો નોમિનીને તે સમય સુધી ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 105% બોનસ તરીકે આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે