Bank Account Minimum Balance: કેનેરા બેંકે લઘુત્તમ બેલેન્સ પરનો ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. કેનેરા બેંકે બેંક ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરીને તેના તમામ બચત ખાતાધારકોને મોટી રાહત આપી છે.
મિનિમમ બેલેન્સ પર નહીં લાગે કોઈ ટેક્સ
એટલે કે, જો કેનેરા બેંકના ખાતાધારકો પોતાના બેંક ખાતામાં લઘુત્તમ રકમ નહીં રાખે, તો પણ તેમના પર કોઈ પેનલ્ટી કે દંડ વસૂલવામાં આવશે નહીં. કેનેરા બેંક દેશની પહેલી મોટી જાહેર બેંક બની ગઈ છે, જેણે તમામ પ્રકારના બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત નાબૂદ કરી દીધી છે.
એટલે કે, હવે જો તમારા ખાતામાં શૂન્ય રૂપિયા હોય, તો પણ બેંક તમારી પાસેથી દંડ વસૂલશે નહીં. બેંકે કહ્યું છે કે આ નિયમ સેવિગ્સ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, NRI બચત ખાતા પર લાગુ થશે. લઘુત્તમ બેંક બેલેન્સ રાખવાની જરૂરિયાત સમાપ્ત થતાં ગ્રાહકો કોઈપણ તણાવ વિના ગમે તેટલું બેલેન્સ જાળવી શકે છે અને જો તેઓ ઇચ્છે તો શૂન્ય રકમ પણ રાખી શકે છે.
તમને જણાવી દઈએ કે અગાઉ બેંકે 1 જૂન, 2025 થી નવો નિયમ લાગુ કર્યો છે. અગાઉ, કેનેરા બેંકના ખાતાધારકો માટે તેમના બેંક ખાતામાં જગ્યા અનુસાર લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ જાળવવું જરૂરી હતું. ઉદાહરણ તરીકે, મેટ્રો અને શહેરી શાખાઓમાં આ રકમ 2000 રૂપિયા હતી, જ્યારે અર્ધ-શહેરી શાખાઓમાં તે 1000 રૂપિયા હતી અને ગ્રામીણ વિસ્તારોમાં માસિક લઘુત્તમ રકમ 500 રૂપિયા હતી. જો તમે આ રકમ તમારા ખાતામાં જાળવી ન રાખી હોય તો બેંક દ્વારા તમારી પાસેથી દંડ વસૂલવામાં આવતો હતો. હવે આવું નહીં થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે