NSC, National Savings Certificate : નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) ગેરેન્ટેડ રિટર્ન આપતી સરકારી સ્કીમ છે. આ ફિક્સ્ડ ઈનકમ રોકાણનો વિકલ્પ છે, જે મોડરેટ કે કન્ઝર્વેટિવ ઈન્વેસ્ટરોમાં પ્રખ્યાત છે. આ 5 વર્ષની સરકારી યોજના દેશભરની પોસ્ટ ઓફિસોમાં શરૂ કરી શકાય છે, જેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલી શકાય છે. જોકે, મહત્તમ જમા રકમ પર કોઈ મર્યાદા નથી. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં કલમ 80C હેઠળ કર લાભો પણ મેળવી શકાય છે.
Interest Rate on NSC : કેટલું મળી રહ્યું છે વ્યાજ
ઈન્ડિયા પોસ્ટ અનુસાર 5 વર્ષની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ પર 7.7 ટકાનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં, વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ પામે છે અને પરિપક્વતા પર ચૂકવવાપાત્ર છે. તમે 5 વર્ષ પછી પાકતી મુદત પર આ યોજનાનું નવીકરણ કરી શકતા નથી. પરિપક્વતા પછી NSC માં રોકાણ ચાલુ રાખવા માટે, તમારે લાગુ વ્યાજ દર સાથે નવું NSC પ્રમાણપત્ર ખરીદવું પડશે.
આ પણ વાંચોઃ શું તમે તમારું ઘર ખરીદવા માંગો છો? આ ફોર્મ્યુલા અપનાવો, તમારી બધી ચિંતા થઈ જશે દૂર
NSC મા 100, 500, 1000, 5000, 10,000 કે તેનાથી વધુના સર્ટિફિકેટ મળે છે. તેમાં રોકાણની કોઈ મર્યાદા નથી. તમે ઈચ્છો એટલા સર્ટિફિકેટ ખરીદી શકો છો.
NSC: 15 લાખના રોકાણ પર 5 વર્ષમાં કેટલો ફાયદો
વન ટાઇમ ડિપોઝિટઃ 15 લાખ રૂપિયા
વ્યાજદરઃ 7.7 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ
ટેન્યોરઃ 5 વર્ષ
મેચ્યોરિટી પર રકમઃ 21,73,551 રૂપિયા
વ્યાજનો ફાયદોઃ 6,73,551 રૂપિયા
Tax Rules in NSC : ઈનકમ ટેક્સના નિયમ
NSC માં રોકાણ કરવા પર ઇનકમ ટેક્સના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. પરંતુ આ છૂટ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર મળે છે. છેલ્લા 4 વર્ષ સુધી એનએસસીથી મળેલ વ્યાજને ફરી રોકાણ કરી શકાય છે, તેથી ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. પરંતુ એનએસસીના 5 વર્ષ પૂર્ણ થયા બાદ તેને ફરીથી રોકાણ ન કરી શકાય, તેથી વ્યાજથી થનાર કમાણી પર ટેક્સ સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ લાગે છે. વ્યાજની રકમ પર કોઈ TDS લાગતો નથી.
આ પણ વાંચોઃ કરોડો બેંક ખાતાધારકોને મળશે ખુશખબર! સરકાર કરી રહી છે મોટી તૈયારી
ITR મા દેખાડો કમાણી
NSC માં રોકાણ કરેલી મૂળ રકમ 5 વર્ષ પછી વ્યાજ સાથે મળે છે. ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે, ધ્યાનમાં રાખવું પડશે કે ITR માં દર વર્ષે ઉપાર્જિત વ્યાજને આવક તરીકે દર્શાવવું પડશે. સીબીડીટીના નિયમો કહે છે કે દર વર્ષે આઈટીઆરમાં એનએસસીમાંથી થતી વ્યાજની આવક દર્શાવવી જરૂરી છે. ધારો કે તમે NSC માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તમને 7.7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે, તો ITR માં દર વર્ષે 7700 રૂપિયાની આવક દર્શાવવી જરૂરી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે