Home> Business
Advertisement
Prev
Next

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં છે પૈસા ડબલ થવાની 100 ટકા ગેરંટી, જાણો રોકાણની ખાસ ફોર્મૂલા

Post Office Kisan Vikas Patra Scheme: જો તમે કોઈપણ જોખમ વિના તમારી બચત વધારવા માંગતા હોવ અને નિશ્ચિત સમયમાં પૈસા બમણા કરવા માંગતા હોવ તો કિસાન વિકાસ પત્ર યોજના તમારા માટે એક સલામત અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ સાબિત થઈ શકે છે. ચાલો આ યોજનાને વિગતવાર સમજીએ...

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં છે પૈસા ડબલ થવાની 100 ટકા ગેરંટી, જાણો રોકાણની ખાસ ફોર્મૂલા

જો તમે પણ તમારા પૈસા સુરક્ષિત અને નફાકારક જગ્યાએ રોકાણ કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) યોજના તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ એક સરકારી ગેરંટી યોજના છે, જેમાં ફક્ત તમારા પૈસા સુરક્ષિત નથી, પરંતુ 7.5% ના વાર્ષિક વ્યાજ દર સાથે તે 115 મહિનામાં એટલે કે લગભગ 9 વર્ષ અને 7 મહિનામાં પૈસા બમણા કરે છે.

fallbacks

રાજકોટ બસ સ્ટેન્ડમા ચુમ્મા-ચાટી કરવા લાગ્યું કપલ! ડીલો પણ ઉભા ઉભા જોઈ રહ્યા હતા હરકત

તમે ફક્ત ₹1000થી કરી શકો છો શરૂઆત 
તમે આ યોજનામાં ઓછામાં ઓછા ₹1000 થી રોકાણ શરૂ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી, એટલે કે તમે ઇચ્છો તેટલા પૈસા રોકાણ કરી શકો છો. ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે એક કરતાં વધુ KVP ખાતા ખોલી શકો છો.

કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ?
કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે અને એટલું જ નહીં, વ્યક્તિ ગમે તેટલા KVP ખાતા ખોલાવી શકે છે. માતાપિતા 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે કિસાન વિકાસ પત્ર ખાતું પણ ખોલાવી શકે છે.

પત્નીના પરપુરુષ સાથે સંબંધો! છૂટાછેડા થતાં પતિએ ખુશ થઈ 40 લીટર દૂધથી કર્યું સ્નાન

પૈસા બમણા કરવા માટે સરળ ફોર્મ્યુલા
આ યોજનામાં ચક્રવૃદ્ધિના આધારે વ્યાજ ઉમેરવામાં આવે છે, જેનાથી પૈસા ઝડપથી વધે છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹1 લાખનું રોકાણ કરો છો, તો પહેલા વર્ષના અંતે તમને ₹7,500 વ્યાજ 7.5% ના દરે મળશે. આ વ્યાજ મુદ્દલમાં ઉમેરવામાં આવશે અને બીજા વર્ષની શરૂઆતમાં તમારું કુલ રોકાણ ₹1,07,500 થશે. બીજા વર્ષમાં, તેનું વ્યાજ ₹8,062 થશે, અને આ ચક્ર ચાલુ રહેશે. તેવી જ રીતે લગભગ 115 મહિનામાં તમારી રકમ બમણી થઈને ₹2 લાખ થઈ જશે.

આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોવાથી તેમાં રોકાણ પર કોઈ બજાર જોખમ નથી. પરંતુ આ યોજનાને આવકવેરાની કલમ 80C હેઠળ મુક્તિ મળતી નથી. જોકે, આ યોજના એવા લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે જેઓ સુરક્ષિત અને નિશ્ચિત વળતર ઇચ્છે છે.

‘ના પ્લેનમાં ના ફ્યૂલમાં ખરાબી હતી’, તો ભૂલ ક્યાં થઈ? હવે એર ઈન્ડિયાના CEOનું નિવેદન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More