Investment Tips: રોકાણ માટે જો તમે પણ જોખમ ઉઠાવવા ઈચ્છતા નથી તો તમારા માટે એક એવી સેવિંગ સ્કીમ છે, જેની માહિતી તમારે મેળવવી જોઈએ. જ્યાં તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે અને ગેરેન્ડેટ રિટર્ન મળશે. પોસ્ટ ઓફિસની એક સેવિંગ સ્કીમ છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે એનએસસી, જે તમારી આ આકાંક્ષા અને ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે એક શાનદાર વિકલ્પ છે. 5 વર્ષની પોસ્ટ ઓફિસ બચત યોજના - રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (VIII ઇશ્યૂ) હેઠળ, તમે ઇચ્છો તેટલા ખાતા ખોલી શકો છો અને મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. એટલું જ નહીં, તેમાં જમા રકમ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે પણ પાત્ર છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
NSC ખાતું કોણ ખોલી શકે છે
ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર, એક પુખ્ત વ્યક્તિ તેને ખોલી શકે છે. આ ઉપરાંત, ત્રણ પુખ્ત વયના લોકો એકસાથે સંયુક્ત ખાતું ખોલી શકે છે. એટલું જ નહીં, એક વાલી સગીર અથવા માનસિક રીતે બીમાર વ્યક્તિ વતી પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજના હેઠળ ખાતું પણ ખોલી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર પણ તેના નામે ખાતું ખોલી શકે છે.
આ પણ વાંચોઃ આટલા કરોડના માલિક હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જાણો વિગત
કેટલા રૂપિયાથી થઈ શકે છે રોકાણની શરૂઆત
તમને જાણીને તે સારૂ લાગશે કે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. આ સિવાય તેમાં 100ના મલ્ટીપલમાં તમે ઈચ્છો એટલું રોકાણ કરી શકો છો. એક વાત ધ્યાનમાં રાખો કે આ સ્કીમમાં જમાની તારીખથી પાંચ વર્ષ પૂરા થવા પર જમા રકમ પરિવક્વ થઈ જાય છે.
રોકાણ પર કેટલું મળશે વ્યાજ
ભારતીય પોસ્ટના એનએસપી એકાઉન્ટ પર હાલમાં 7.7 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ભારત સરકારની સેવિંગ સ્કીમ છે, એટલે તેમાં કરવામાં આવેલું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત છે. સરકાર અત્યારે નાની બચત યોજનાઓ પર ક્વાર્ટરના આધાર પર વ્યાજદરની સમીક્ષા કરે છે અને તેમાં સમય-સમય પર સંશોધન કરે છે.
આ પણ વાંચોઃ આ રીતે પ્રથમવાર મળ્યા હતા વિજય રૂપાણી અને અંજલી રૂપાણી, પહેલા મિત્રતા પછી થયો પ્રેમ
ક્યારે બંધ કરાવી શકાય એકાઉન્ટ
એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે NSC 5 વર્ષ પહેલાં બંધ કરી શકાતી નથી, સિવાય કે ચોક્કસ સંજોગો ઉભા થાય. જેમ કે એક ખાતાધારકનું મૃત્યુ, અથવા સંયુક્ત ખાતામાં કોઈપણ અથવા બધા ખાતાધારકોનું મૃત્યુ, કોઈ ખાતું ગેઝેટેડ અધિકારી દ્વારા ગીરવે મૂકવામાં આવે છે અથવા કોર્ટનો આદેશ હોય છે, તો જ આ ખાતું બંધ કરી શકાય છે.
આ કિસ્સામાં એકાઉન્ટ થાય છે ટ્રાન્સફરપોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ ખોલવામાં આવેલ ખાતું એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફક્ત ખાતાધારકના મૃત્યુ પર નોમિની/કાનૂની વારસદારને, ખાતાધારકના મૃત્યુ પર સંયુક્ત ધારક(ઓ)ને, કોર્ટના આદેશ પર અથવા ચોક્કસ સત્તાવાળા પાસે ખાતાને ગીરવે મૂકીને ટ્રાન્સફર કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે