American Geophysical Union દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ Indian Tectonic Plates 2 ભાગમાં તૂટી રહી છે. આ કારણસર તેનો એક હિસ્સો ધરતીના કોરમાં ધસી રહ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો ધરતી પર હાજર જમીની ભાગને એક નવો આકાર મળી શકે છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે ભારતની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે. જો આમ થવાનું ચાલુ રહેશે તો તેનાથી ભારત સહિત એશિયાના અનેક દેશોના ભૌગોલિક નક્શા પર મોટી અસર પડશે.
શું કહેવાયું છે રિસર્ચમાં?
અમેરિકન જિયોફિઝિકલ યુનિયન નામની સંસ્થાએ પોતાના રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે ભારતની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે. તેનો એક ભાગ ધરતીના કોરમાં સમાઈ શકે છે. અત્રે જણાવવાનું કે ધરતી કુલ 7 ટેક્ટોનિક પ્લેટ્સ પર ટકેલી છે. આ પ્લેટ્સ જ્યારે પરસ્પર અથડાય છે ત્યારે ધરતીની નીચે ઘર્ષણ થાય છે. જેનાથી ભૂકંપ જેવી કુદરતી આફતો આવે છે. આ પ્લેટ્સ જો તૂટે તો ભારતીય પ્લેટ કોરમાં સમાઈ જશે. સ્ટડી મુજબ છેલ્લા 60 મિલિયન વર્ષોથી ભારતીય પ્લેટ, યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે.
ધસી રહી છે ધરતી
યુરોપ અને એશિયાની સરહદ પર રહેલી પ્લેટને યુરેશિયન પ્લેટ કહેવામાં આવે છે. તેમાં અથડામણ થવાથી ભારતીય પ્લેટમાં એવી પ્રક્રિયા થઈ રહી છે જેને ડિલૈમિનેશન (Delamination) કહેવામાં આવે છે. તેમાં પ્લેટનો એ ભાગ જેની ડેન્સિટી વધુ હોય તે ધરતીની અંદર સમાઈ રહ્યો છે. આ કારમે ઈન્ડિયન પ્લેટ્સમાં તિરાડ પડી રહી છે.
વધી જશે ભૂકંપનું જોખમ
રિસર્ચ મુજબ ડિલૈમિનેશનના કારણે પ્લેટની સ્થિરતા પર અસર પડી રહી છે. તેનાથી પ્લેટ ખસવાથી તે જગ્યા પર ભૂકંપનું જોખમ ઘણું વધી જાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જિયોફિઝિસિસ્ટ સાઈમન ક્લેમ્પરર જણાવે છે કે હિમાલયના વિસ્તારોમાં ટેક્ટોનિક પ્લેટ્સ પર ઘણો દબાવ બની રહે છે જેનાથી આ પ્લેટ્સ પર તિરાડો પડવાનું જોખમ રહે છે જે ભૂકંપનું કારણ બને છે. જો કે વૈજ્ઞાનિકોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે પ્લેટ્સના તૂટવાની આ ઘટના શરૂઆતના તબક્કામાં છે અને તેના પર વધુ ઊંડાણપૂર્વક રિસર્ચ કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે