SBI Amrit Vrishti FD rates June 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઈએ પોતાની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પ્લાન અમૃત વૃષ્ટિના વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે. જો કે બેંકે પોતાની અન્ય રેગ્યુલર એફડી યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવા દરો 15 જૂન 2025થી લાગૂ થઈ ગયા છે. એસબીઆઈનું આ પગલું ભારતીય રિઝર્વ બેંક દ્વારા 50 બેસિસ પોઈન્ટ્સના રેપો રેટ કપા બાદ લેવાયું છે. જે જૂન 2025ની MPCની બેઠકમાં જાહેર કરાઈ હતી.
હવે કેટલું મળશે વ્યાજ
એસબીઆઈની વેબસાઈટ મુજબ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સનો કાપ કરવામાં આવ્યો છે. પહેલા જ્યાં સામાન્ય નાગરિકોને 6.85% પ્રતિવર્ષના દરે વ્યાજ મળતું હતું. ત્યાં હવે તેમને 6.60% પ્રતિ વર્ષના દરે વ્યાજ મળશે.
સીનિયર સિટીઝનને મળશે કેટલું વ્યાજ?
SBI એ વરિષ્ઠ નાગરિકો માટે પણ વ્યાજ દરમાં સંશોધન કર્યું છે. સીનિયર સિટીઝન (60 વર્ષ કે તેનાથી ઉપર)ને હવે 7.10% પ્રતિ વર્ષના દરે વ્યાજ મળશે. સુપર સિનિયર સિટીઝન (80 વર્ષ કે તેનાથી ઉપર)ને વધારાના 10 બેસિસ પોઈન્ટનો લાભ મળશે. જેનાથી તેમનું વ્યાજ દર વધીને 7.20% વાર પ્રતિ વર્ષ થયું છે.
શું છે આ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ?
એસબીઆઈની અમૃત વૃષ્ટિ એફડી યોજના ખાસ કરીને 444 દિવસના સમય માટે છે અને તે મર્યાદિત સમય માટે ઉપલબ્ધ સ્કીમ છે. જે ખાસ કરીને તહેવારો કે વિશેષ અવસરો પર રજૂ કરાય છે.
SBI FD Latest Rate
કેમ ઘટાડ્યા વ્યાજ દર?
વ્યાજ દરોમાં આ કાપ RBI ના રેપો રેટમાં હાલમાં જ કાપ જાહેર કરાયો. રેપો રેટ ઘટાડવાનો હેતુ અર્થવ્યવસ્થામાં કરજને સસ્તું બનાવવું અને માંગને વધારવાનો છે. રેપો રેટ ઘટતા જ બેંક પણ પોતાના લેન્ડિંગ અને ડિપોઝિટ પ્રોડક્ટ્સના દરોમાં ફેરફાર કરે છે. HDFC Bank, ICICI Bank અને Canara Bank જેવી મુખ્ય પ્રાઈવેટ બેંકોએ હાલમાં પોતાના એફડી દરોમાં ફેરફાર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે