Home> Business
Advertisement
Prev
Next

5900% નું શાનદાર રિટર્ન, 5 વર્ષમાં આ સ્ટોકે 1 લાખના બનાવી દીધા 60 લાખ રૂપિયા

Multibagger Stock: શેર બજારમાં ઘણા એવા પેની સ્ટોક હોય છે, જે ઈન્વેસ્ટરોને માલામાલ બનાવે છે. આ સસ્તા શેરની કિંમતમાં એવી તેજી આવે છે કે ઓછા રૂપિયાનું રોકાણ કરી રોકાણકારો લાખોપતિ બની જાય છે. આજે અમે તમને એક એવા શેર વિશે માહિતી આપીશું.
 

 5900% નું શાનદાર રિટર્ન, 5 વર્ષમાં આ સ્ટોકે 1 લાખના બનાવી દીધા 60 લાખ રૂપિયા

Multibagger small-cap stock:  શેર બજારમાં સારા સ્ટોકની પસંદગી કરવાની યોગ્યતા અને ધૈર્ય જાળવી રાખનાર ઈન્વેસ્ટરોને લાંબા ગાળામાં સારૂ રિટર્ન મળી શકે છે. આરએમસી સ્વિચગિયર્સ (RMC Switchgears) એ લાંબા ગાળામાં ઈન્વેસ્ટરોને માલામાલ બનાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં RMC Switchgears ના શેરની કિંમતોમાં 5900 ટકાની તેજી આવી છે. જેથી એક સમયે 13 રૂપિયામાં મળનાર આ શેર 775 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો છે. 5 વર્ષ પહેલા RMC Switchgears માં એક લાખ રૂપિયાનો દાવ લગાવનાર ઈન્વેસ્ટરોનું રોકાણ વધીને 60 લાખ રૂપિયા થઈ ગયું છે. મહત્વનું છે કે ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે 3211 ટકાનું રિટર્ન આપ્યું છે.

fallbacks

2021થી શેર બજારમાં સ્ટોકે પકડી ગતિ
કેલેન્ડર વર્ષ 2018થી કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન કંપનીના શેરની કિંમતોમાં 75 ટકાનો ઘટાડો થયો હતો. આ સ્ટોકે મોમેન્ટમ કેલેન્ડર વર્ષ 2021માં પકડ્યું હતું. આ વર્ષે સ્ટોકની કિંમતમાં 45 ટકાની તેજી આવી હતી. 2022મા ઈન્વેસ્ટરોને 1039 ટકાનો ફાયદો થયો હતો. તો 2024મા શેરની કિંમતમાં 83 ટકાની તેજી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ફરી બદલાઈ રહ્યું છે અનિલ અંબાણીનું નસીબ, ધડાધડ કરી રહ્યાં છે એક બાદ એક ડીલ

કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે?
ગયા નાણાકીય વર્ષના બીજા ભાગમાં RMC સ્વિચગિયર્સનો ચોખ્ખો નફો રૂ. 21.26 કરોડ હતો. જે પાછલા નાણાકીય વર્ષના બીજા ભાગમાં 6.83 કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2025 ના બીજા ભાગમાં કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 213.38 કરોડ રહ્યું, જે 150.40 ટકાનો વધારો દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, જો આપણે ગયા નાણાકીય વર્ષની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન આ કંપનીનો ચોખ્ખો નફો 31.45 કરોડ રૂપિયા હતો. જેમાં વાર્ષિક ધોરણે 111.2 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન ચોખ્ખું વેચાણ રૂ. 318.16 કરોડ રહ્યું.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More