Home> Entertainment
Advertisement
Prev
Next

વિમાન દુર્ઘટનામાં અમિતાભ બચ્ચને નજીકના સ્વજનનું મોત, તપાસને લઈને કરી મોટી માંગ

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં થોડીક સેકન્ડોમાં 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં, આ અંગે તપાસ ચાલી રહી છે અને સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ તેની તપાસની માંગણી કરી છે.

  વિમાન દુર્ઘટનામાં અમિતાભ બચ્ચને નજીકના સ્વજનનું મોત, તપાસને લઈને કરી મોટી માંગ

Ahmedabad Plane Crash: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ ઈર ઈન્ડિયા વિમાન ક્રેશ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાથી દેશ સ્તબ્ધ છે. તો જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા તેના દુખનો અંદાજ પણ આપણે ન લગાવી શકીએ. સતત આ મામલામાં અપડેટ્સ આવી રહ્યાં છે. આ વચ્ચે હવે અમિતાભ બચ્ચને કહ્યુ કે તે ખૂબ દુખી છે અને તેમણે પ્રાર્થના કરી છે કે આ દુખ આપણે એક કરે, તેથી આપણે તે લોકોને સન્માન આપી શકીએ જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા. સાથે બચ્ચને આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી કરાવવાની માંગ ઉઠાવી છે.

fallbacks

અમિતાભ બચ્ચને બ્લોગમાં દુખ વ્યક્ત કર્યું
તાજેતરમાં અમિતાભ બચ્ચને તેમના એક બ્લોગમાં લખ્યું હતું કે, 'એર ઇન્ડિયા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું. આપણા લોકો ઉપરાંત, આ અકસ્માતમાં પોતાના નાગરિકો ગુમાવનારા અન્ય દેશો પ્રત્યે મારી સંપૂર્ણ સંવેદના અને સમર્થન છે. હું પ્રાર્થના કરું છું કે આ દુઃખ આપણને એક કરે, જેથી આપણે બધા મળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી શકીએ.' બિગ બીએ વધુમાં કહ્યું, 'આ અકસ્માતની તપાસ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે થવી જોઈએ, જેથી આપણે તેને હંમેશા યાદ રાખી શકીએ અને તેમાંથી કંઈક શીખી શકીએ. આપણે મજબૂત બનવું પડશે, યોગ્ય પગલાં લેવા પડશે અને ઝડપથી શીખવું પડશે, જેથી દરેકને આ દુઃખ દૂર કરવામાં મદદ મળી શકે.'

આ પણ વાંચોઃ મારી દીકરી દાખલ છે, હું લાચાર છું... વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા ડોક્ટર પિતાની વ્યથા

અમિતાભ બચ્ચનના નજીકની વ્યક્તિનું નિધન
મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અમિતાભ બચ્ચના નજીકના મિત્રના પુત્રનું પણ મોત થઈ ગયું છે, ત્યારબાદ બિગ બી ભાવુક તઈ ગયા છે. બિગ બીએ કોઈનું નામ લીધા વગર લખ્યું- 'અને આજની સવારે મને અને મારા પરિવારને વધુ એક ઝટકો લાગ્યો. આ સવાર દુખદાયક સમાચાર લાવી. અમારા એક પ્રિય મિત્રએ તેનો પુત્ર ગુમાવી દીધો. તે યુવા હતો અને આ બધુ અચાનક થયું. અમારા મિત્ર અને અમે કયા દર્દ અને દુખમાંથી પસાર થઈ રહ્યાં છીએ, તેની કલ્પના ન કરી શકાય. વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. બસ હવે પ્રાર્થના કરવી ચે અને દુખમાં દુખી લોકોને હિંમત આપવાની છે, જેથી તેને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે.'

12 જૂને થઈ દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના બપોરે એર ઈન્ડિયાના એક બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. વિમાન AI-171 અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહ્યું હતું. ટેકઓફ થવાની સાથે વિમાન બીજે મેડિકલ કોલેજની પાસે ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા છે, જ્યારે માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. આ વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More