Actor Manoj Kumar : પોતાના જમાનાના સુપરસ્ટાર અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજકુમારનું 87 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજકુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મનોજકુમાર તેની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા અને તેમને ભારત કુમાર નામથી ખાસ ઓળખ મળી હતી.
આ પણ વાંચો: આ અભિનેત્રીઓ વચ્ચે વર્ષોથી છે 36 નો આંકડો, એકબીજાને જાહેરમાં મારી ચુકી છે લાફા
મનોજકુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગીરી ગોસ્વામી હતું. 24 જુલાઈ 1937 ના રોજ જન્મેલા મનોજકુમાર દિલીપકુમારને આદર્શ માનતા હતા. જ્યારે ભારતીય સિનેમામાં ફેરફાર થઈ રહ્યો હતો ત્યારે મનોજકુમાર એ તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. મનોજકુમારએ તેની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક ચેતનાને જીવંત કરી હતી.
આ પણ વાંચો: TMKOC: તારક મહેતા શો માટે મળી ગયા નવા દયાબેન, અભિનેત્રીએ શરુ કરી દીધું શૂટિંગ
1957માં ફિલ્મ ફેશનથી કરિયરની શરૂઆત કરી
મનોજકુમાર એ તેના અભિનય કરિયરની શરૂઆત 1957માં આવેલી ફિલ્મ ફેશનથી કરી હતી. પરંતુ તેમના કરિયરમાં યુ ટર્ન 1965 માં આવેલી શહિદ ફિલ્મ થી આવ્યો. આ ફિલ્મથી તેમને નવી ઓળખ મળી અને તે સુપરસ્ટાર બનવા તરફ આગળ વધી ગયા. ત્યાર પછી તેમણે એક પછી એક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું.
આ પણ વાંચો: રેખાને ઘરે બોલાવી જયા બચ્ચને એક વાક્ય કહ્યું અને અમિતાભ - રેખાના સંબંધો પુરા થઈ ગયા
ફિલ્મ ઉપકારનું ગીત મેરે દેશ કી ધરતી
મનોજકુમારની ફિલ્મ ઉપકારનું ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે આજે પણ દેશભક્તિની ભાવના જગાવનાર ગીત તરીકે સાંભળવા મળે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને સાથે જ તેના ગીત પણ સુપરહિટ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે